Book Title: Parishuddh Aparishuddh Nayvad ane Sarv Nayashritni Madhyasthata
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 6
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૧૫ કેવળ દ્વેષથી ત્યાગ કરતા નથી, પણ મધ્યસ્થ દૃષ્ટિથી વિચાર કરીને સ્વસિદ્ધાન્તને આદર અથવા પરસિદ્ધાન્તનો ત્યાગ કરીએ છીએ.” ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી પણ કહે છે કે – “હે વીરપ્રભુ! અમને કેવળ શ્રદ્ધાથી તમારા ઉપર પક્ષપાત નથી, તેમ કેવળ દ્વેષથી અન્ય ઉપર અરુચિ નથી, પણ યથાર્થ આપ્તપણાની પરીક્ષાથી અમે તમારો આશ્રય કરીએ છીએ.” જુદા જુદા સર્વ ન પરરપર વાદ અને પ્રતિવાદથી કદઈના પામેલા છે, પરંતુ સમવૃત્તિના સુખને અનુભવ કરનાર જ્ઞાની સર્વ નયને આશ્રિત હોય છે.” પરસ્પર પક્ષ અને પ્રતિપક્ષ ભાવથી અન્ય પ્રવાદે દ્વેષથી ભરેલા છે, પરંતુ સર્વ નયને સમાનપણે ઈચ્છનાર હે ભગવન્! તમારે સિદ્ધાન્ત પક્ષપાતી નથી. ” “બધાય વચન વિશેષ રહિત હોય તો તે એકાન્ત અપ્રમાણ નથી અને એકાતે પ્રમાણ પણ નથી, જેથી અન્ય સિદ્ધાન્તમાં રહેલું સદ્વવચન પણ વિષયના પરિશુધનથી પ્રમાણ છે. ઉપલક્ષણથી સ્વસિદ્ધાન્તનું વચન પણ અનુગે કરી વિશેષિત ન હોય તે તે અપ્રમાણ છે. એ પ્રકારે સર્વ સ્યાદ્વાદ જનાથી સર્વ નાનું જાણપણું હોય.” ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી કહે છે કે અન્ય શાસ્ત્રને વિષે પણ દ્વેષ કરવા યોગ્ય નથી, પરંતુ તેના વિષયને પ્રયત્નથી વિચાર. જે પ્રવચનથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7