Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૭૫૪
પંચસંગ્રહ-૧
જે કર્મની જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ હોય તેમાંથી અભવ્ય સંજ્ઞી પંચે. પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિ બાદ કરી શેષ રહેલ સ્થિતિના સમય પ્રમાણ તે તે કર્મનાં નિરંતર સ્થિતિસ્થાનો થાય છે અને અભવ્ય સંજ્ઞી પંચેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધથી નીચે કેટલાંક સાન્તર સ્થિતિસ્થાનો હોય છે.
ત્યાં નામ અને ગોત્રકર્મના આઠ મુહૂર્ત ન્યૂન વિસ કોડાકોડી સાગરોપમના સમય પ્રમાણ, મોહનીયના અંતર્મુહૂર્ત ન્યૂન સિત્તેર કોડાકોડી સાગરોપમના સમય પ્રમાણ, આયુષ્યના અબાધારૂપ અંતર્મુહૂર્ત સહિત ક્ષુલ્લકભવ ન્યૂન પૂર્વકોડિના ત્રીજા ભાગે અધિક તેત્રીસ સાગરોપમના સમય પ્રમાણ, વેદનીયના બાર મુહૂર્ત ન્યૂન ત્રીસ કોડાકોડી સાગરોપમના સમય પ્રમાણ, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયના અંતર્મુહૂર્ત ન્યૂન ત્રીસ કોડાકોડી સાગરોપમનાં સમય પ્રમાણ બંધ આશ્રયી સ્થિતિસ્થાનો એટલે કે સ્થિતિબંધ સ્થાનો હોય છે. આ પ્રમાણે ઉત્તરપ્રવૃતિઓમાં પણ સ્વયં વિચારી લેવું. આ પ્રમાણે સામાન્યથી સ્થિતિસ્થાનો થાય છે, પરંતુ અભવ્ય સંજ્ઞી પંચેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધથી નીચે નિરંતર નહિ પણ સાન્તર સ્થિતિસ્થાનો હોવાથી થોડાં ઓછાં સ્થિતિસ્થાનો થાય છે.
અપર્યાપ્ત સૂક્ષ્મનાં સ્થિતિસ્થાનો સર્વથી અલ્પ છે. તે થકી અપર્યાપ્ત બાદર, પર્યાપ્ત સૂક્ષ્મ અને પર્યાપ્ત બાદર એકેન્દ્રિયનાં સ્થિતિસ્થાનો અનુક્રમે સંખ્યાતગુણ છે. સામાન્યથી આ ચારે ભેદનાં સ્થિતિસ્થાનો પલ્યોપમના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ હોવા છતાં અસંખ્યાતમો ભાગ નાનો-મોટો ગ્રહણ કરવાનો હોવાથી ઉપરોક્ત અલ્પબહત્વ ઘટી શકે છે.
પર્યાપ્ત બાદર એકેન્દ્રિયમાં સ્થિતિસ્થાનોથી અપર્યાપ્ત બેઈન્દ્રિયની સ્થિતિસ્થાનો અસંખ્યગુણ છે. કારણ કે બેઇન્દ્રિયના ઉત્કૃષ્ટ તથા જઘન્ય સ્થિતિબંધ વચ્ચે પલ્યોપમના સંખ્યાતમા ભાગનું અંતર હોવાથી અપર્યાપ્ત બેઇન્દ્રિયનાં સ્થિતિસ્થાનો પલ્યોપમના સંખ્યામાં ભાગના સમય પ્રમાણ છે. જયારે પર્યાપ્ત બાદર એકેન્દ્રિયનાં સ્થિતિસ્થાનો પલ્યોપમના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ જ છે અને અસંખ્યાતમા ભાગથી સંખ્યાતમો ભાગ સામાન્યથી દરેક સ્થળે અસંખ્ય ગુણ મોટો જ લેવાનો હોય છે. તેથી પર્યાપ્ત બાદર એકેન્દ્રિયનાં સ્થિતિસ્થાનોથી અપર્યાપ્ત બેઇન્દ્રિયનાં સ્થિતિસ્થાનો અસંખ્યગુણ છે.
અપર્યાપ્ત બેઈન્દ્રિયથી પર્યાપ્ત બેઈન્દ્રિય, અપર્યાપ્ત તથા પર્યાપ્ત તેઈન્દ્રિય, ચરિન્દ્રિય, અસંજ્ઞી અને સંજ્ઞી-પંચેન્દ્રિયનાં સ્થિતિસ્થાનો અનુક્રમે એક એકથી સંખ્યાતગુણ છે. સામાન્યથી અપર્યાપ્ત બેઈન્દ્રિયથી પર્યાપ્ત અસંજ્ઞી-પંચેન્દ્રિય સુધીના આઠ જીવભેદમાં ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિ વચ્ચે પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ અંતર હોવાથી પલ્યોપમના સંખ્યાતમા ભાગનાં સમય પ્રમાણ સ્થિતિસ્થાનો છે છતાં પલ્યોપમનો સંખ્યાતમો ભાગ અનુક્રમે મોટો મોટો લેવાનો હોવાથી ઉપરોક્ત અલ્પબદુત્વ પ્રાપ્ત થાય છે.
અપર્યાપ્ત સંન્ની-પંચેન્દ્રિયને ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિબંધ વચ્ચે સંખ્યાત ભાગ ન્યૂન અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ અંતર હોવાથી તેટલાં સમય પ્રમાણ સ્થિતિસ્થાનો છે અને પર્યાપ્ત સંજ્ઞી-પંચેન્દ્રિયમાં મિથ્યાત્વ ગુણસ્થાનક આશ્રયી અંતઃકોડાકોડી સાગરોપમ ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સમય પ્રમાણ સ્થિતિસ્થાનો છે.