Book Title: Nityakram Sayankal tatha Ratrino
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 19
________________ સાયંકાળના તથા રાત્રિને અનુપરિત (અનુભવમાં આવવા યેાગ્ય, વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મના કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિના કર્તા છે. ૧૮ ચોથું પદ : આત્મા ભોક્તા છે.” જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઇ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવેા પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ; સાકર ખાવાથી સાકરનું ફળ; અગ્નિસ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ; હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણુ થવા યાગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાના આત્મા કર્તા હાવાથી ભાક્તા છે. પાંચમું પદ : ‘મોક્ષપદ છે.’ જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હાવાથી ભોક્તાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે; કેમ કે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી, તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યાગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે તે અંધભાવ ક્ષીણ થઈ શકવા યાગ્ય હાવાથી તેથી રહિત એવા જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મેાક્ષપદ છે. છઠ્ઠું પદ : તે મેાક્ષના ઉપાય છે.' જો કદી કર્મબંધ તે તેની નિવૃત્તિ કોઈ કાળે વિપરીત સ્વભાવવાળાં એવાં માત્ર થયા કરે એમ જ હાય, સંભવે નહીં; પણુ કર્મબંધથી જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભકત્યાદ્ઘિ સાધન પ્રત્યક્ષ છે; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38