Book Title: Nay Margdarshak Yane Sat Naynu Swarup
Author(s): Jinshasan Aradhana Trust
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 31
________________ ( ૧૮ ) નયમાર્ગદર્શક આ વખતે સૂરિવરે સુધા શ્રાવિકાને અને જિજ્ઞાસુ પુત્રને કહ્યું, ભદ્ર, જે તમારા જાણવામાં આવે તે તમે પણ કહેજે. સુધા શાંત અને કેમલ સ્વરથી બેલી–ભગવન, એ બાબત મારા જાણવામાં આવી ગઈ છે, તેમ આ વત્સ જિજ્ઞાસુના જાણવામાં પણ આવી ગઈ છે. આ મારા સ્વામી પણ એ બાબત જાણે છે, પણ તેમના શંકાશીલ સ્વભાવને લઈને તે વાત તેમની મનવૃત્તિ પર આરૂઢ થઈ નથી, એટલે તેમને યાદ આવવી મુશ્કેલ છે. સૂરિવર–શ્રાવિકા, તમે સુબુદ્ધ છે, તેથી તે વાત જાણતા હશે, પણ આ બાળક જીજ્ઞાસુના મુખથી તે બાબત સાંભળવાની મારી ઈચ્છા છે, તે જિજ્ઞાસુ તે બાબત જણાવે. ગુરૂ મહારાજના આ વચન સાંભળી જિજ્ઞાસુ બોલ્યો–ભગવન, પ્રથમ જીવાદિ દ્રવ્યને “સ્વભાવ જાણુ જોઈએ. તે સામાન્ય અને વિશેષ સ્વભાવ–એમ બે પ્રકારે કહેલા છે. તેના બધા નામ અને અર્થ મારા જાણવામાં બરાબર આવ્યા નથી. રિવર–ભદ્ર નયચંદ્ર, તમારા પુત્ર આ જિજ્ઞાસુને પૂર્ણ ધન્યવાદ ઘટે છે. તેણે તમારા કુટુંબમાં રહી ઘણું સારે બોધ મેળવ્યું છે. તે માન તમારા ધર્મપત્ની શ્રાવિકા સુબોધાને ઘટે છે. સુધા નમ્રતાથી બેલી–ભગવન, તે માન મને ઘટતું નથી, પણ તમારા આ શ્રાવકને ઘટે છે. સુરિવર–શ્રાવિકા, એ વાત સત્ય છે, પણ હું તે તમને વધારે ધન્યવાદ આપું છું. પિતાના સંતાનને બાલ્યવયમાંથી સુધારી કેળવા યેલા કરવા, એ માતાનું જ કર્તવ્ય છે. અને તમે એ કર્તવ્ય યથાર્થ રીતે બજાવેલું છે. હવે જીવાદિ દ્રવ્યોના સ્વભાવ વિષે હું તમને સમજાવું, તે ધ્યાન દઈને સાંભળે. જીવાદિ દ્રવ્યના બધા મળીને એક વીશ સવભાવ છે. તેમાં અગીયાર સામાન્ય સ્વભાવ છે. અને દશ વિશેષ સ્વ ભાવ છે. પેલે અસ્તિસ્વભાવ, બીજેનાસ્તિસ્વભાવ, ત્રિી નિત્યસ્વભા વ, ચેાથે અનિત્યસ્વભાવ, પાંચમે એકસ્વભાવ, છઠો અનેક સ્વભાવ ૧ સ્વભાવ ગુણ પર્યાયના અંતર્ભત જાણવા જૂદા નહીં. પરંતુ વિશેષમાં એટલું કે ગુણગુણીમાં રહે છે અને સ્વભાવે ગુણ ગુણી બંનેમાં રહે છે કારણકે ગુણગુણી પોતપોતાની પરિણતિને પરિણમે છે, તેથી પરિણતિ જે છે તે સ્વભાવ છે.

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94