________________
શરણાગતિ:ધર્મનો મૂળ આધાર
આધ્યાત્મિક વિકૃતિ છે. શરણાગતિનું આટલું મૂલ્ય કેમ છે તે સમજીએ. બેત્રણ દિશાએથી આસમજવાની કોશિશ કરીએ. ગઈ કાલે મેં તમને ડૉ.લોજાનોવના ઈન્સ્ટિટ્યુટ
ઓફ સજેસ્ટોલોજી (Institute of suggestologu) ની વાત કરી હતી. ડૉલોજાનો બાળકોનાં શિક્ષણ પર જે અનૂઠા પ્રયોગો કર્યા હતા તે વિષે એક આંતરરાષ્ટ્રીય સંમેલનમાં એને પ્રશ્ન પુછ્યો કે તમે જે શિક્ષણ વિષે ક્રાંતિકારી પ્રયોગો કર્યા તેની પ્રેરણા તમને કેવી રીતે મળી ? લોજાનોવે જવાબ આપ્યો કે ભારતીય યોગશાસ્ત્રમાં વર્ણવેલા “શવાસન” ના પ્રયોગો કરતો હતો, તેમાંથી એ પ્રેરણા મળી. શવાસનમાંથી પ્રેરણા મળી? શવાસનની ખૂબી શું છે? શવાસનનો અર્થ છે શરીરની પૂર્ણ સમર્પણ અવસ્થાજ્યારે તમે શરીરને સંપૂર્ણ શિથિલતામાં છોડી દો છો. સાષ્ટાંગ પ્રણામની જે પુરાણી પદ્ધતિ છે, તેવી શરીરની સ્થિતિમાં પડીનેજ, શરીરને પૂરું છોડી શકાય છે. એ શરણાગતિની સ્થિતિ છે. જમીન પર તમે હાથપગ ઢીલા કરી. માથું જમીનને અડાડી, બધાં અંગ જમીનને સ્પર્શ એ રીતે સૂઈ જાવ, તો એ માત્રનમસ્કારની વિધિ જ નથી, એ ઘણાં અદ્ભુત વૈજ્ઞાનિક સત્યોથી ભરેલો પ્રયોગ છે. લોજાનવ કહે છે કે રાત્રે ઊંઘમાં આપણને જે વિશ્રામ અને શક્તિ મળે છે તેનું મૂળ કારણ, આપણે પૃથ્વી સાથે સમથળ, સમાનાન્તર સૂઈ જઈએ છીએ તે છે. જ્યારે એ રીતે પૃથ્વી સાથે સમાનાન્તર, સમથળ સૂઈ જઈએ છીએ ત્યારે જગતની શક્તિઓ આપણામાં સહજપ્રવેશી શકે છે. જ્યારે આપણે ઊભા થઈએ છીએ ત્યારે આપણી સાથે આપણો અહંકાર પણ ઊભો થાય છે. જ્યારે સૂઈ જઈએ છીએ ત્યારે આપણો અહંકાર પણ સાથોસાથ સૂઈ જાય છે ત્યારે આપણી રક્ષણવ્યવસ્થાનું જે કાંઈ આયોજન હોય છે તે સક્રિય રહેતું નથી. પ્રાગની ઝેક યુનિવર્સિટીમાં એક રોબર્ટ પાવેલેટા નામે વ્યક્તિ છે તેણે માનવીમાં ફરીથી શક્તિ ભરવાના પ્રયોગો કર્યા છે. કોઈ માણસ ખૂબ થાકી ગયેલો શક્તિહીન થઈ ગયો હોય તેને એ એક ઊભેલી સ્વસ્થ ગાયની નીચે જમીન પર સૂવાડી દે છે. એ કહે છે કે તમે બિલકુલ શિથિલ થઈને ગાયની નીચે શાંત પડી રહી પાંચ મિનિટ ભાવ કરો કે એ સ્વસ્થ ગાયમાંથી, તમારામાં શક્તિ દાખલ થઈ રહી છે. પાંચ મિનિટમાં બાજુમાં મૂકેલું તમારી સાથે જોડાયેલું યંત્ર બતાવે છે કે તમારો થાક દૂર થઈ ગયો છે અને તમે તાજા થઈને ગાયની નીચેથી બહાર આવી જાવ છો. કોઈએ પાવલેટાને પૂછયું કે સૂવાને બદલે ગાયનીચે બેસીએ તો શું થાય? પાપલેટાએ કહ્યું જે કામસૂઈ જવાથી થોડી મિનિટોમાં બની શકે છે તે બેસવાથી કલાકો સુધી બનતું નથી. પાવલેટા કહે છે કે આપણી ચારે બાજુ આપણી એક પ્રતિરોધ શક્તિ છે જેના વડે આપણા સંરક્ષણ માટે જે દિવાલો