Book Title: Nahi Joie 2600 ni Rashtriya Ujavani
Author(s): Hitvardhanvijay
Publisher: Chandravati Balubhai Khimchand Religious Trust

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦) શું વાસ્થતીઓના વિકાસનો કાર્યક્રમ યોગ્ય છે ? ૧. ના યાદ રહે! શ્રમણ ભગવાન મહાવીર દેવે પૃથ્વી, પાણી, અઝ. વાયુ અને વનસ્પતિ, વિશ્વના આ પાંચે ય સૂક્ષ્મ તત્વોમાં જીવતત્વનું પ્રતિપાદન કર્યું છે. ભગવાને વિના કારણે વનસ્પતિને સ્પર્શવાની પણ ના કહી છે ત્યારે વનો વિકસાવવાની વાત એય ભગવાનના જન્મકલ્યાણકની ઉજવણીના પ્રસંગ પર, શે વ્યાજબી કહેવાય ? ૨. યાદ રહે. ભગવાન મહાવીર દેવ પર્યાવરણવાદી ન હતા. તેઓ હતા; પરમપકવાદી! તેમને અંજલિ આપવાના નામે વૃક્ષો રોપવા, પર્યાવરણ રક્ષાની વાતો કરવી એ અતિશય અર્વાચિત વસ્તુ છે. પરમાત્માના ધર્મને ભારે અન્યાય ગુજારનારૂ આ કૃત્ય છે. ૩. વનસ્થળીઓનાં વિકાસ કાર્યક્રમ દ્વારા વનસ્પતિકાયના અસંખ્ય જીવોનું નિકંદન નીકળી જશે. ડતી આખે શાકભાજી સમારનારો જૈન જે હરગીજ ચલાવી નહિ લે. ૪. વનસ્થળીઓનો વિકાસ કરીને એના મળી શકનારા લાકડાની ય કેટલાય લાંચિયા માનવો શણચોરી કરશે. જેનું કલંક વનસ્થળી વિકાસને સમર્થન આપનારા જૈનોના કપાળે ચોટશે. ૫. વનસ્થળીઓને વિકસાવવી, એ શરક્ષાનું અને સમાજ રક્ષાનું કૃત્ય હોઈ શકે. અલબત, એ ઘર્મનુ કૃત્ય તો નથી જ. સામાજિક કાર્યોને ધાર્મિક કૃત્યો સાથે ક્યારેય ભેળવી દેવાય નહિ. આથી ભગવાન મહાવીર દેવના જન્મકલ્યાણકની ઉજવણીના ઉપલક્ષ્યમાં વનસ્થળીઓ વિકસાવવાની ઉક્ત યોજના સત્વરે રબાતલ કરવી જ રહી. ૧૩. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27