Book Title: Muni Jivanni Balpothi Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 170
________________ મુનિજીવનની બાળથી ૧૬૧ ભાષાકીય હિંસા પણ આપણા પરિણામની હિંસા કરવામાં ક્યારેક ફાળો નોંધાવે છે. આથી જ ધોધમાર વરસતા વરસાદમાં ધૈડિલ ભૂમિએ જતાં, જગા જ ન મળે અને બીજો કોઈ ઉપાય ન હોય તે તે વખતે લીલા –સચિત્ત–ઘાસ ઉપર પણ સ્પંડિલ બેસી શકાય. પરંતુ તે વખતે “હું લીલા ઘાસ ઉપર છું એમ ન વિચારતાં, હું ધર્માસ્તિકાય ઉપર છું” એમ વિચારવાનું જણાવવામાં આવ્યું છે. હિંસક વગેરે પરિણામે આપણા ચારિત્ર્યધર્મને ક્યારેક મૂળમાંથી નાશ કરે છે, માટે પરિણામ તે ક્યારે પણ નિષ્ફર થવા દેવાં ન જોઈએ. એનું કૂણાપણું, તેમાં જ આપણું ચારિત્ર્યધર્મની સફળતા. (૪૭) પ્રાયશ્ચિત્ત અંગે ? પફખીને એક ઉપવાસ માસીને એક છઠ અને સંવત્સરીને એક અઠમ–તપ તે અવશ્ય કરવાનું છે. તદુપરાંત દર માસી અંગે દસ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત વહવાનું હોય છે. આ સિવાય દર પંદર દિવસે એક વાર સદ્ગુરુદેવ પાસે બધી સ્થૂળ, સૂમ ભૂલનું આલેચન કરીને તેનું પ્રાયશ્ચિત્ત કરી લેવું જોઈએ. પંદર દિવસની અનુકૂળતા ન હોય તે જે રીતે અનુકૂળતા હોય તે રીતેજલદી–સઘળું પ્રાયશ્ચિત્ત તે કરવું જ જોઈએ. મુ. ૧૧

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202