Book Title: Manovigyan
Author(s): Bhuvanratnasuri
Publisher: Dharmnath P H Jainnagar S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 415
________________ ૩૭૮ મનોવિજ્ઞાન પહોંચે છે. એટલામાં એક મહિયારણ અને એક પનિયારણ સામેથી નગરમાં પ્રવેશ કરવા માટે આવી રહી છે. મહિયા રણના મસ્તક ઉપર દહીં અને દૂધની ભરેલી બે મટકી છે, જ્યારે પનિયારણના મસ્તક ઉપર પાણીથી ભરેલું બેડું છે. ગજરાજ માર માર કરતો નગરના દરવાજા ભણી ધસી રહ્યો છે. હાથી તોફાને ચડે એટલે બાકી શું રહે? નગર આખામાં કેલા હલ સાંભળીને પેલી મહિયારી અને પનિયારી બંને પિતપોતાના જીવ બચાવવા ત્યાંથી નાસી છૂટે છે અને દરવાજાની સમીપે બંને આવી પહોંચે છે, પણ જીવ બચાવવા ત્યાંથી ડેક દૂર એકદમ નાસી જાય છે. નાસભાગ થતાં મહિયારણના મસ્તક ઉપરથી દહીં અને દૂધની મટકી એકદમ નીચે પડી જાય છે અને ફૂટી જાય છે. પનિયારીનું બેડું મસ્તક પરથી નીચે પડી જાય છે અને બેડું ફૂટી જતાં પનિયારી ધ્રુસકે ને ધ્રુસકે કરૂણ સ્વરે રૂદન કરે છે, જ્યારે મહિયારણ કે જેની દહીં-દૂધની મટકી ફૂટી ગઈ છે તે તો ત્યાં ઊભી ઊભી ખડખડાટ હસે છે. મુખ પરથી જાણે હાસ્યરસની છોળો ઊડી રહી છે. નુકશાન જેને ઘણું થયું છે તે હસે છે અને જેને પ્રમાણમાં નુકસાન ઘણું ઓછું થયું છે તે રડે છે. એ દશ્ય જોઈને કોઈના પણ મનમાં કુતૂડલ થયા વિના. રહે નહિ. બીજી બાજુ હાથીને મહાત કરવા માટે રાજાના પુરેહિત અને મહાવત બંને હાથીની પાછળ પડેલા છે. હાથી તે નગરના દરવાજાની બહાર નીકળીને જંગલ ભણી આગળ ધપી રહ્યો છે. પુરોહિત અને મહાવત પણ દરવાજાની બહાર ક્યાં આવે છે ત્યાં પુરોહિતનું ધ્યાન પેલી મહિયારી અને પનિયારી તરફ ખેંચાય છે અને પુરોહિતના મનમાં એક પ્રકારની કુતૂહલ બુદ્ધિ ઉત્પન્ન થાય છે તરત જ પુરોહિત હાથીને મહાત કરવાનું કામ મહાવતને સંપીને પોતે મહિયારી અને પનિયારીની સમીપે.

Loading...

Page Navigation
1 ... 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462