Book Title: Manni Mavjat Ane Dharti Parnu Swarga
Author(s): Nandiyashashreeji
Publisher: Anilaben A Dalal

View full book text
Previous | Next

Page 65
________________ જન્મવું એ ઘટના છે. જીવવું એ કળા છે. મરવું એ સાધના છે. આના માટે શરીરને બદલે આત્માને કેન્દ્રમાં રાખવાનું છે અને ભૌતિક સુખને બદલે આત્મિક હિતને કેન્દ્રમાં રાખવાનું છે. મોત સુધી તમને જે સાચવે છે તે સુખ છે. મોત પછી જે તમારું રક્ષણ કરે છે તે હિત છે. સખની પાછળ જે દોડે છે તે પદાર્થનો સંગ્રહ કરે છે. Materialistic Attitude ધરાવે છે. અને જેને હિત જોઈએ છે તે આત્માના ગુણોને કેન્દ્રમાં રાખવા તત્પર હોય છે. સામાન્યથી આપણે શરીરની તંદુરસ્તી સ્વજનનો પ્રેમ અને સંપત્તિની વિપુલતાને I સુખ સમજી તેના માટે પ્રયત્ન કરીએ છીએ પણ જીનશાસન સદબુદ્ધિની પ્રાપ્તિ સમાધાનની વૃત્તિ સગુણની પ્રાપ્તિ તરફ લક્ષ્ય ખેંચે છે. ( (૨૪)

Loading...

Page Navigation
1 ... 63 64 65 66