Book Title: Mandir
Author(s): Ratnabodhivijay
Publisher: Ramjibhai Veljibhai Gala

View full book text
Previous | Next

Page 73
________________ રસોડું = દવાખાનું રસોઈ બનાવનાર (પત્ની) = ડોક્ટર ભોજન = દવા ભોજન કરનાર = દર્દી ભૂખ = રોગ ભૂખ શાંત થવી = રોગ દૂર થવો. જો આ વાત મગજમાં બેસી જાય તો ભોજન પ્રત્યેના રાગ-દ્વેષના તોફાન ઘણા ઓછા થઈ જાય. મકાનમાં રહેવા માટે માણસ મકાનમાલિકને મકાનનું ભાડું ચૂકવે છે. શરીર પાસેથી કામ લેવા માણસ શરીરને ભોજનનું ભાડું આપે છે. ભાડા પ્રત્યેનું માણસનું વલણ અને ભોજન પ્રત્યેનું માણસનું વલણ જુદું છે. તે વિચારીએ - (1) ભાડું માણસ ઓછામાં ઓછું ભરે છે. જ્યારે ભોજન માણસ વધુમાં વધુ કરે છે. (2) ભાડું માણસ સમયસર જ આપે છે. તે પહેલા નહીં. ભોજન માણસ ગમે ત્યારે કરે છે, સમય પૂર્વે પણ કરે છે. (3) ભાડાની સાથે માણસ કોઈ પહેરામણી આપતો નથી. ભોજનની સાથે માણસ મીઠાઈ-ફરસાણ આરોગે છે. (4) ભાડું માણસ ન છૂટકે આપે છે. ભોજન માણસ હોંશે હોંશે કરે છે. (5) માણસની ભાવના એવી હોય છે કે, પોતાનું મકાન થઈ જાય તો ભાડું આપવું ન પડે.” ભોજન માટે માણસને ક્યારેય એવી ભાવના થતી નથી કે, “શરીર ભાડાનું મકાન છે, માટે ભોજનનું ભાડું આપવું પડે છે. જો આત્મસ્વરૂપની પ્રાપ્તિરૂપી પોતાનું મકાન થઈ જાય તો ભોજનનું ભાડું આપવું ન પડે.” ભોજન પ્રત્યેનું વલણ જો માણસ ભાડા પ્રત્યે લગાડે તો તેને દેવાળું ...64.... ભોજન = દવા, ભાડું

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114