Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 93
________________ ૮૪) મહાવીરનો વારસદાર કોણ? मिच्छादं सणमोहियउ परु अप्पा ण मुणेइ । सो बहिरप्पा जिणभणिउ पुण संसारु भमेइ ।।७।। . “મિથ્યાદર્શનથી મોહી જીવ પરમાત્માને જાણતો નથી, એ જ બહિરાત્મા છે. તે વારંવાર સંસારમાં પરિભ્રમણ કરે છે; એમ શ્રી જિનેન્દ્રદેવે કહ્યું જો કે વીતરાગી ભગવાન તેમના ભક્તોને કંઈ આપતા નથી તથા ભક્તો પાસેથી કંઈ લેતા પણ નથી. ભક્તોને જ નહિ, તેઓ જગતમાં રહીને પણ જગતથી ન્યારા છે. તેમ છતાં વીતરાગી ભગવાન મારાં આદર્શ છે કારણ કે મારે પોતે પણ ભગવાન જેવા થવું છે, અરે ભાઈ! ભગવાન જેવા શા માટે? એમ જ કહો કે મારે પોતે ભગવાન થવું છે પરંતુ વિવેકપૂર્વક ભગવાનના સ્વરૂપનો નિર્ણય ર્યા વિના ભગવાન કેવી રીતે થવાય? ભગવાન થવાની વાત તો દૂર, તેણે તો ભગવાનને આદર્શ પણ ન માન્યા કહેવાય. શ્રી સમન્તભદ્રાચાર્ય સ્વયંભૂસ્તોત્રમાં કહે છે “પરમાત્મા વીતરાગ છે, આપણી પૂજાથી પ્રસન્ન થતા નથી. પરમાત્મા વેદરહિત છે, આપણી નિંદાથી અપ્રસન્ન નથી થતા. તો પણ તેમના પવિત્ર ગુણોનું સ્મરણ મનને પાપરૂપી મેલથી (રહિત કરી) સ્વચ્છ કરે છે. અનુપમ યોગાભ્યાસથી જેણે આઠકર્મના કઠિન કલંકને બાળી નાખ્યું છે અને જે મોક્ષના અતીન્દ્રિય સુખના ભોક્તા છે, તે જ પરમાત્મા છે. મારો સંસાર શાંત કરવા માટે તે ઉદાસીન સહાયક છે. તેમના ધ્યાનથી હું સંસારનો ક્ષય કરીશ.” શ્રી પૂજ્યપાદસ્વામી સમાધિશતકમાં કહે છેनिर्मल: केवल: शुद्धो विविक्त: प्रभुरव्ययः । પરમેષ્ઠી પરાત્મતિ પરમાત્મશ્વરી નિન: Jદ્દો “પરમાત્મા કર્મમળરહિત છે, કેવળ સ્વાધીન છે, સાર્થને સિદ્ધ કરીને સિદ્ધ થયા છે, સર્વદ્રવ્યોની સત્તાથી નિરાળી સત્તાના ધારક છે, તે જ અનંતવીર્ય ધારક પ્રભુ છે, તે જ અવિનાશી છે, પરમપદમાં રહેનાર પરમેષ્ઠી છે, તે જ શ્રેષ્ઠ આત્મા છે, તે જ શુદ્ધ ગુણરૂપી ઐશ્વર્યના ધારક ઈશ્વર છે, તે જ પરમ વિજયી

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98