Book Title: Mahavir swamino Achar Dharm Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Gujarat Vidyapith Ahmedabad View full book textPage 7
________________ ઉપોદઘાત આચારાંગસુત્ર જૈનેનાં ૧૨ અંગમાં સૌથી પહેલું ગણાય છે : માત્ર કમની દષ્ટિએ નહીં, મહત્ત્વની દૃષ્ટિએ પણ શ્રી ભદ્રબાહુસ્વામીએ (આચારાંગ ઉપરની પોતાની નિર્યુક્તિમાં જણાવ્યું છે: आयारो अंगाणं पढम अंग दुवालसण्हपि । इत्य य मोक्खोवाओ एस य सारो पवयणस्स ॥ બારેય અંગમાં આચારાંગ એ પ્રથમ છે. તેમાં મેક્ષનો ઉપાય વર્ણવેલો છે, તથા તે તમામ શાસ્ત્રગ્રંથના સારરૂપ છે.” વળી તે જણાવે છે: બધા તીર્થંકરેએ પણ, પોતાનું તીર્થ પ્રવર્તાવતાં, આચારને જ પ્રથમ પદ આપ્યું છે, અને આપશે.” વળી પ્રશ્નોત્તરરૂપે તે જણાવે છે: “બધાં અંગેના સારરૂપ શું ? – આચારાંગ. તેના સારરૂ૫ શું? – તેનાં પદોની યથાયોગ્ય સમજ. તેના સારરૂપ શું? – તે પ્રમાણે આચરણ. તેના સારરૂપ શું? – નિર્વાણ.” જૈને પિતાના ધર્મગ્રંથે ચાર વિભાગમાં વહેંચી નાખે છે: દ્રવ્યાનુયેગ, ગણિતાનુંયેગ, ચરકરણનુગ, અને ચરિતાનુયેગ. તેમાં, આત્મા વગેરે દ્રવ્ય – તો –ને અનુગ” એટલે કે મીમાંસા, તે દ્રવ્યાનુયેગ. તેને માટે બ્રાહ્મણગ્રંથોમાં “તત્વજ્ઞાન” શબ્દ વપરાય છે, અને બૌદ્ધ ગ્રંથમાં “અભિધર્મ' શબ્દ વપરાય છે. “સૂત્રકૃતાંગ” વગેરેમાં દ્રવ્યાનુયોગના વિષયનું પ્રાધાન્ય છે, એમ કહી શકાય. ૧. એક મતે મહાવીર પછી માત્ર ૧૮૦ વર્ષે થયેલા, અને બીજા ગતે ઈ. સ. ચોથા સૈકામાં થયેલા. જેઓ આ માળાનું, “સમી સાંજનો ઉપદેશ યા. ૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 194