Book Title: Maharshi Metaraj
Author(s): Jaybhikkhu
Publisher: Sarabhai Nawab
View full book text
________________ અર્પણ 313 સુવર્ણકાર હેંગીને ઢળવા આગળ આવ્યો, પર સ્પર્શ કરે છે તે ઠંડું હીમ શરીર ! મુનિરાજને આત્મા દેહને ત્યાગ કરી ગયો હતો. શું મૃત્યુ ! ના, ખૂન ! સુવર્ણકારોના દિલમાં પડઘા પડવા લાગ્યા. ખૂનની શિક્ષા ? મગધરાજનો ન્યાય! કયાં ચાલ્યો જાઉં? નાસી છૂટું ! સંતાઈ જાઉં ! કયાં જાઉં ! આકાશ કે પાતાળમાં પેસી જઉં તો ય મગધનો રાજદંડ મને નહિ છોડે! એક સાધુનું ખૂન ! સુવર્ણકાર ધ્રુજી ઊઠડ્યો. અચાનક કંઈ જોરથી પછડાયું. એક સ્ત્રી કાછનો ભારે નાખતી હતી. એના અવાજથી પાસે બેઠેલું કૌંચ પક્ષી ચમકી ગયું. ભયમાં ચરકી પડ્યું. અરે, આ ચરમાં શું ઝગઝગે છે ! સુવર્ણકારોની નજર ત્યાં પડી. સુવર્ણજવે ? શું ક્રૌંચ ચરી ગયેલું ? સુવર્ણકાર ક્ષણમાત્રમાં ન્યાયાધીશ મટી ખુદ ગુનેગાર બન્યો. - અરે, વા વાત લઈ ચાલ્યો. રાજાજીના સેવકો આવતા જ હશે. હવે શું થાય? એકાએક એને કંઈ સૂઝી આવ્યું. એણે ઝટઝટ અલંકારોને ત્યાગ કર્યો. એક વસ્ત્ર શરીરે વીંટી લીધું. મુનિનો દંડ અને પાત્ર હાથમાં લઈ મુનિ બની ચાલી નીકળ્યો. પણ લોકોના ટોળાં જમા થઈ રહ્યાં હતાં. કેઈતીક્ષ્ણદષ્ટિવાળાએ પરખી લીધું

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344