Book Title: Lekh Sangraha Part 06
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 479
________________ [ ૪૫૬ ] | શ્રી કરવિજયજી આપણા મનમાં મદ–અહંકાર આવી જાય અને તેથી પ્રકૃતિ બગડી જાય–સંતપ્ત થઈ જાય, ચિત્તમાં કલેશ થવા પામે, મન માજામાં ન રહે અને ઉન્મત્તપ્રાય બની જાય તેવે વખતે આદર્શરૂપ પૂર્વ મહાપુરુષોનાં કે વર્તમાન મહાપુરુષોનાં ઉત્તમ ચરિત્રે તરફ દષ્ટિ વાળવી, તેમની ઉત્તમતા-નિર્મદતા-નિરભિમાનતા-નમ્રતા-સાદાઈ અને સરલતાદિકનો ખ્યાલ કરો અને આપણે પણ એવા ઉત્તમ કેમ થઈ શકીએ તેવી રૂડી ભાવના ભાવવી. એમ કરવાથી આપણે ગંભીર ભૂલ આપણને નજરે પડશે, ગુણનો મહાન પટંતર રહેલો સમજાશે અને આપણું મૂર્ખાઈ ઉપર આપણને જ હસવું આવશે અથવા તેને માટે આપણને ભારે ખેદ-પશ્ચાત્તાપ થશે અને ફરી તેવી મૂર્ખાઈ નહિ કરવા મન લલચાશે. આ રીતે શુભ પ્રયત્ન કરવાથી અંતે રૂડું પરિણામ આવશે. હવે આવી તુછ વસ્તુની ખાતરે મદ કે અહંકાર જ શા માટે કરવો જોઈએ ? અરે ! જ્ઞાની-વિવેકી જનેનું એ કામ જ નથી એમ શાસ્ત્રકાર સમજાવે છે. ૪. સડણું, પણ અને વિધ્વંસન સ્વભાવવાળું શરીર, તેના ઉપર કરેલા જાતજાતના રંગ જેવું દેખાતું દેખાવડું રૂપ, તેમાં કંઈક તરી આવતી લાલપરૂપ લવણિમા-લાવણ્ય, તેમજ ગામ-ગરાસ, બાગ-બગીચા પ્રમુખ વૈભવનાં સાધન અને એ ઉપરાંત અનેરાં લક્ષમી પ્રમુખ સુખસાધને ગમે તેવાં અને ગમે તેટલા હોય તો પણ તે બધાં અનિત્ય-ક્ષણવિનાશી, અસાર–પરિણામે ખેદ ઉપજાવનારાં અને અંતે અવશ્ય છેહ દઈ ચાલ્યા જનારાં હોવાથી ચિદાનંદઘન–આતમાને તે તે પિગલિક વસ્તુઓ કમેગે પામીને તેને ગર્વ કરે કેમ ઘટે? ન જ ઘટે. અરે! તત્વજ્ઞાની મહાત્માઓ સ્વગુણને

Loading...

Page Navigation
1 ... 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556