Book Title: Jain Tattva Prakash
Author(s): Amolakrushi Maharaj
Publisher: Shamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh

View full book text
Previous | Next

Page 817
________________ ૭૯૨ જૈન તત્વ પ્રકાશ આ પ્રમાણે બારમા વ્રતના અતિચારેના સેવનથી દુખત્પત્તિ થાય છે. એમ જાણી સુજ્ઞ જને એવાં કામથી આત્માને બચાવશે અને સુપાત્ર દાનને યથોચિત લાભ પ્રાપ્ત કરશે તે અહીં પણ યશ, સુખ, સંપત્તિને ભક્તા બનશે અને પરલોકમાં દેવાદિકને પૂજનિક બનશે અને કદાચિત્ ઉત્કૃષ્ટ રસ આવી જશે તે તીર્થકર ગોત્ર બાંધી ત્રીજે ભવે તીર્થકર થઈ સર્વ જગતને પૂજનિક બની જશે અને મોક્ષ પ્રાપ્ત કરી લેશે. કેટલાક નામધારી મહાત્મા અને શ્રાવક એવા છે કે, જે પોતે દાન આપવા–અપાવવા સમર્થ હોવા છતાં પણ પક્ષપાત, દ્વેષ અથવા લેભને વશ પડી તેિ દાન આપતા નથી અને બીજા આપતા હોય તે તેમને અટકાવે છે. પિતાના સંપ્રદાય સિવાય બીજાને મિથ્યાત્વી, પાખંડી, ભગવાનના ચેર, આદિ મિથ્યા કલંક ચડાવે છે. બીજાને દેવામાં સમકિતને નાશ થાય અને નરકગામી થવાય એવું કહી ભ્રમમાં ફસાવે છે. પિતાના સિવાય બીજાને દાન આપવાનાં પચ્ચખાણ પણ કરાવે છે. | ભેળા ભક્તો એવા પાખંડીઓના મિથ્યા ઉપદેશને સત્ય માની તેને સ્વીકાર કરે છે અને તેઓ ત્યાગી, વૈરાગી, જિનાજ્ઞામાં વર્તતા સુસાધુઓના ષી બની જાય છે. અને બાવા, જેગી, ફકીર અને બ્રાહ્મ ૩ “અભયદાન–સાત પ્રકારના ભયથી ભયભીત બનેલા જીવોને અભય કરવા અને મરણોન્મુખ પ્રાણીને મૃત્યુથી બચાવવા વસ્તુ આપે તે અભયદાન. ૪ “કારુણ્યદાન’–સ્વજનાદિના મૃત્યુ બાદ અભ્યાગતાદિને આપે તે. ૫ “લજ્જાદાન'–કોઈની શરમમાં આવી કંઇક દાન કરે છે. ૬ “ગૌરવદાન–અભિમાનમાં આવીને કંઈક આપે તે. ૭ “અધર્મદાન’–વેશ્યા આદિ કુકર્મ કરનારને આપે છે. ૮ “ધર્મદાન’–સાધુ શ્રાવકને ફાસુક આહારાદિ આપે તે. ૯ “કરિષ્યતિદાન”—આણે મારા ઉપર ઉપકાર કર્યો છે માટે તેને કંઈક આપવું જોઈએ એવા વિચારથી આપે તે. ૧૦ ‘કતદાન–આ માણસે મારા ઉપર ઘણા ઉપકાર કર્યા છે. આ ભાવનાથી પ્રેરાઇને દાન દેવાય છે તે.

Loading...

Page Navigation
1 ... 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874