Book Title: Jain Darshan ma Anu Vigyan
Author(s): Khubchand K Parekh
Publisher: Khubchand K Parekh

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશકીય નિવેદન જૈનદર્શનના દ્રવ્યાનુગ વિષયથી અનભિજ્ઞ મનુષ્યને આ પુસ્તકનું “જૈનદર્શનના અણુવિજ્ઞાનની મહત્તા” નામ જાણી આશ્ચર્ય થશે કે “અણુ” અગેની હકીકત અને તેને લગતા પ્રયોગો તે વર્તમાન વૈજ્ઞાનિક ક્ષેત્રમાં જ હોય, જેનદર્શનમાં અણુવિજ્ઞાનની હકીકત ક્યાંથી આવી ? પરંતુ તેવાઓને માલુમ નથી હતું કે દુનિયાના દેશે જ્યારે વસ્ત્રપરિધાન કે વ્યવહાર પણ શીખ્યા ન હતા, ત્યારે પણ પદાર્થના અવિભાજ્ય અંશરૂપ આવિષયક તત્ત્વજ્ઞાનથી ભારત ઉચ્ચશિખરે બિરાજતે હતે. આ અણુવિજ્ઞાનના આવિષ્કારક અને પ્રચારક કેવળ સર્વસંગત્યાગી શ્રી તીર્થંકર પરમાત્મા હતા. જીવનોપયોગી વિવિધ વસ્તુઓના ઉત્પાદન માટે વિવિધ કાળે વિવિધ વૈજ્ઞાનિકે જડપદાર્થના અણુ ઉપરથી અનેકવિધ આવિષ્કાર કરતા આવ્યા છે, અને કરતા રહેશે. પરંતુ વિશ્વના પ્રાણિયોને સંસારદ વાનલના વિવિધ દુઃખસર્જક તત્વરૂપે કયા અણુઓ કામ કરી રહ્યા છે ? તે જાતના વિજ્ઞાનથી જ્યાં સુધી પ્રાણિયો અજ્ઞાન રહે છે, ત્યાં સુધી ગમે તેટલી ભોતિક સામગ્રીનો ઉપભોગ હોવા છતાં દુખથી છૂટી શકાતું નથી. કારણ કે ભૌતિક ઉપભોગ સામગ્રીની પ્રાપ્તિ અને પ્રાપ્ત સામગ્રીને ટકાવ તે, જીવના આત્મપ્રદેશોની સાથે ક્ષીરનીરવત સંબધિત બની રહેલ જડઅણસમુહના જ આધારે છે. આત્માની સાથે સબધિત બની રહેલ આ જડઅણુઓએ આત્માની સ્વતંત્રતા છીનવી લીધી છે. એટલું જ -નહિ પરંતુ ભૂલાવી દીધી છે. એટલે જ જીવતે જડ અણુઓના નિમિત્તથી પ્રાપ્ત, સુખ-દુઃખને પિતાનું સ્વાભાવિક સુખ–દુઃખ માની બેસે છે.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 157