Book Title: Jain Darshan Darpan Author(s): Dharmguptavijay Publisher: Navinchandra Ratilal Shah View full book textPage 6
________________ લેખકનું નિવેદન 健康 સંવત ૨૦૨૦ નું મારૂ ચાતુર્માસ રાજસ્થાનમાં સેાજતસીટીમાં થયું. આ ગ્રંથની જન્મભૂમિ સેાજતસીટી છે. આ ગ્રંથના પ્રેરક ત્યાંના રહીશ એક સારા તત્ત્વજિજ્ઞાસુ યુવાન વકીલ છે. જેએ ચાતુર્માસ દરમ્યાન મારી પાસે સમ્મતિત ના પદાર્થો સમજવા આવતા. એક વખતે વાતમાં ને વાતમાં તેએએ મને કહ્યું કે આવું શ્રેષ્ઠ અને મૌલિક જૈનતત્ત્વજ્ઞાન બીજા જૈનેતર વિદ્વાના પણ સહેલાઇથી સમજી શકે એવુ... એક જૈન દર્શનનું પુસ્તક આપ લખે તેા કેમ ? મે' તેઓની વાતનેા સ્વીકાર કરીને પ્રથમ જૈન દર્શનના મૌલિક વિષયાની સુચી તૈયાર કરી. અને પર્યુષણ બાદ મારવાડમાં વ્યાખ્યાન વગેરેની પ્રવૃત્તિ મંદ એટલે લખવાની તક સારી મલી ગઈ. બસ લખવાનુ` કામ શરૂ કર્યું.... રાજ એકેક વિષય ઉપર ચિંતન કરૂ' અને સંકલના કરીને લખતા ગયા. લગભગ મૌલિક ૨૫ વિષય ઉપર ડીક ઠીક લખાણ એક મહિનાની અંદર ગુરૂકૃપાથી પૂરૂ કર્યું.... મેં મારા ક્ષયાપશમ મુજબ એકેક વિષયને જેમ અને તેમ વધુ સ્પષ્ટ કરવા પ્રયત્ન કર્યો છે. છતાં આ ગ્રંથ લખતાં સતત ચાલુ રહેતા મારા માથાના દુઃખાવાના કારણે કયાંક વચ્ચે વચ્ચે વિચારધારા તૂટી જવા પામી છે. એટલે અમુક સ્થળાએ કઇક વિશેષ વિવેચનની જરૂર હેાવા છતાં પણ રહી જવા પામી છે. છતાં જૈન દર્શનના જિજ્ઞાસુ આત્માઓને આ પુસ્તક મહદ્અંશે જરૂર તેઓની ઇચ્છા પૂરી કરશે એવુ મારૂં નમ્ર માનવું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 330