Book Title: Hitopnishad
Author(s): Purvacharya, Munisundarsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 181
________________ યથાશક્તિ યુતના કરતા એવા તેમના પ્રત્યે બહુમાન રાખવું. બહુમાન, વંદન, નિવેદન, યત્નપૂર્વક પાલન અને ઉપકરણદાન, આ ગુરુપૂજા જાણવી ॥ ૪-૬ | તેથી અશઠ એવા બહુશ - કુશીલો જેઓ યથાશક્તિ એટલે ગમનાદિના સામર્થ્યને અનુસારે, કાળ દુષમા, તેને ઉચિત જયણાથી સંયમમાં યત્ન કરે છે, તેમનું બહુમાન=પૂજા કરવી જોઇએ. પૂજા જ વ્યક્તરૂપે કહે છે. બહુમાન એટલે માનસિક પ્રીતિ. વંદન એટલે દ્વાદશાવર્ત નિવેદના કરવી જોઈએ. (૧) દ્રવ્યથી ધન-ધાન્યાદિનું સમર્પણ. (૨) ભાવથી સર્વાત્મના સર્વસ્વનું મનસહિત સમર્પણ. પાલના એટલે આ જ પરમ રહસ્ય છે એમ માનીને આદરથી યત્નપૂર્વક તેમના આદેશનું પાલન. ઉપકરણનું એટલે કે વસ્ત્ર-પાત્ર વગેરેનું દાન. ‘એવ’ કાર સમુચ્ચય અર્થમાં છે. ‘ચ’ કારથી અભ્યુત્થાન-ગુરુ આવે ત્યારે સંભ્રમથી ઊભા થવું, અભિગમ-ગુરુની સન્મુખ જવું, અનુગમન-ગુરુને વળાવવા જવું, વગેરે પણ ગુરુપૂજા છે એમ જાણવું. अथ स्नातकापेक्षया हीनगुणनिर्ग्रन्थानां बकुशकुशीलानां कथमित्थं प्रतिपत्तिरित्याह पलए महागुणाणं हवंति सेवारिहा लहुगुणावि । अत्थमिए दिणनाहे अहिलसइ जणो पइवंमि (पि) ॥ ६ ॥ (સ્પા,) नवरं प्रलये महागुणानां अर्हदुपदिष्टानाम् ॥ ६ ॥ બકુશ-કુશીલો તો સ્નાતકની અપેક્ષાએ હીન ગુણવાળા નિગ્રંથો છે, તો તેમની આવી સેવા શા માટે ? એનો જવાબ આપે છે- જ્યારે મહાગુણવાળાઓનો વ્યુચ્છેદ થાય છે, ત્યારે નાના ગુણવાળા પણ ( ૧૯૪ )

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212