________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૭ )
અમૃત સંજીવની ગુટીકા. હીંગલેકને પારે ટાં. ૨, શોધેલ ગંધક ટાં. ૨, શુધેલ વછનાગ ટાં. ૧, અને મરી ટાં. લેવાં પ્રથમ પારા ગંધકની કાજલી કરવી, પછી બીજા ઔષધોનું ચૂર્ણ કરી તેમાં મેળવવું અને તેને બ્રાહ્મીના રસની ભાવના એકવાર આપવી; પછી એકવાર ચિત્રાના રસની ભાવના આપવી. ગળી રતી પ્રમાણે બાંધવી. આ ગોળી આદાના રસમાં આપવાથી સન્નિપાતની મૂછને, અસાધ્ય સનિપાતને, વિષમ જવરને, મંદાગ્નિને, અને વાયુને મટાડે છે.
કાલારિ રસ. શુદ્ધ પારો માસા ૧૨, શુદ્ધ ગંધક મા. ૨૦, શુદ્ધ વછનાગ મા. ૧૨, મરી મા. ૨૦, લવંગ મા. ૧૬, ધંતુરાના બીજ મા. ૧૩, ટંકણખાર મા. ૨૦, જાયફળ મા. ૨૦, અને અકલકરે મા. ૧૨, લેછે. પ્રથમ પારા ગંધકની કાજલી કરવી, પછી બીજા ઔષધેનું ચૂર્ણ કરી તેમાં મેળવવું ને ત્રણ દિવસ સુધી આદાના રસમાં ખેલ કરવું, પછી લીંબુના રસમાં દિવસ ત્રણ ખેલ કરવું; કેળના રસમાં ત્રણ દિવસ ખલ કરવું. આ રસ રતી એક તથા બે પ્રમાણે પાનમાં ખાય તે વાયુને તથા સન્નિપાતને દૂર કરે છે.
શ્વાસકુઠાર રસ, એક ટાંક શુદ્ધ પારે, એક ટાંક શુદ્ધ વછનાગ, એક ટાંક ટકખાર, એક ટાંક ગધક, એક ટાંક મનશીલ, આઠ ટાંક મરી અને છ ટાંક શુંઠ, મરી, તથા પીપરનું ચૂર્ણ લેવું. પ્રથમ પાર ગંધકની કાજલી કરવી; પછી તેમાં અકેક મરી નાખતાં જવું ને ખલ કરતા જવું. એવી રીતે આઠ ટાંક મરી નંખાઈ રહે ત્યાં સુધી ખલ કરો. પછી તેમાં ત્રીદુનું ચૂર્ણ મેળવવું. એટલે શ્વાસકુઠાર રસ સિદ્ધ થાય છે. આ શ્વાસકુઠાર રસ એક અથવા બે રતી પાનમાં ખાવાથી અને સાધ્ય એવા શ્વાસને પણ મટાડે છે. તેમજ જવરને પણ મટાડે છે.
For Private and Personal Use Only