Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
રિપો
જેનદર્શન અને વિજ્ઞાનના સંદર્ભમાં વિશ્વનું સ્વરૂપ પ્રવર્તક શ્રી મૃગેન્દ્રવિજયજી મ.સા.
જૈનદર્શનમાં વિશ્વ-વ્યવસ્થા માટે સુંદર, સુવિસ્તૃત નિરૂપણ કરવામાં આવ્યું છે.
વિશ્વ એટલે બ્રહ્માંડ, Universe પણ જૈનદર્શનમાં વિશ્વ માટે વિશેષરૂપે “લોક' શબ્દ પ્રયુક્ત છે. જેમ કે - ૧૪ - રાજલોક. આ ઉપરાંત ગણધર ભગવંતો વિરચિત સૂત્રોમાં પણ આ “લોક” શબ્દ જ ઉપયુક્ત છે.
0 णमो लोए सव्वसाहूणं । ૦ તાસ ૩mોકારે ० जं किंचि नाम तित्थं, सग्गे पायालि माणुसेलोए 0 પામોત્થvi રિહંતાઈ...
लोगहिआणं, लोग पइवाणं, लोग पज्जोअगराणं । लोअग्गमुवगयाणं, णमो सया सव्वसिद्धाणं । ૦ “.... નાનો નન્દુ પસ્થિો , નામિvi તેનુષ્યીકુર છે વગેરે સૂત્રપાઠોથી જોઈ શકાય છે.
ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજે વિ.સં. ૧૭૨૩માં “શાંત સુધારસ' ગ્રંથની રચના કરી છે. તેમાં ૧૬ ભાવનાઓ પૈકી લોક સ્વરૂપ” ભાવનાની વિચારણા કરી છે.
“લોકશબ્દનો વ્યુત્પત્તિ અર્થ થાય છે - “જોવું'. નુ = (To See) ધાતુ ઉપરથી “લોક' શબ્દ બન્યો છે. જેમાં પંચાસ્તિકાય અને “કાળ' સાથે પદ્રવ્યો જોવામાં આવે છે તે જ ‘નો ઋ' છે - અથવા “લોકાકાશ” પણ કહેવાય છે - તેના મુખ્ય ત્રણ ભેદ છે : (૧) ઊર્વલોક, (૨) અધોલોક અને (૩) તિથ્થલોક - અથવા તિર્યકલોક, મધ્યલોક કે મર્યલોક પણ કહેવામાં આવે છે.
તેમાં સૌપ્રથમ ઊર્ધ્વલોકમાં સિદ્ધાત્માઓ, સિદ્ધશિલા તેમ જ અનુત્તર રૈવેયક અને વૈમાનિક દેવો, લોકાંતિક, કિબ્લિષિક દેવોનો સમાવેશ થાય છે. જ્ઞાનધારા-૩ = ૨૦૦ ર્ક્સ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)