Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સાલકી કાલ
[ 31.
૪૫૮ ]
મંડાવર સૂણુકના મંદિરનાં પીઠ તથા મંડાવર સાથે સામ્ય ધરાવે છે. મંડાવરના ભદ્રગવાક્ષમાં ત્રણે બાજુએ બ્રહ્માનાં શિલ્પ છે. તેએની આજુબાજુ અન્ય દેવદેવીએ તથા અપ્સરાઓનાં શિલ્પ છે. મંદિર અંદરની બાજુએ સાદું છે. મદિરતુ શિખર, મંડપ પરની સંવર્ણી તથા મંદિરની બહારના આગલેા ભાગ પુનનિર્માણના સમયનાં છે. શિખર-ભાગ રેખાન્વિત શિખર-શૈલીનેા નથી, પરંતુ એના રચાને નીચા ઘાટની ફ્રાંસનાની રચના છે. ગર્ભગૃહની લગભગ ૫ ફૂટ ઊંચી બ્રહ્માની મૂર્તિ તથા એમની અને પત્નીઓની મૂર્તિ તથા દ્વારશાખા પાછ્યા સમયની છે.૨૮
મિયાણી(તા. પારખદર, જિ. જૂનાગઢ) પાસે આવેલ કાયલા ડુંગરની ટોચ પર હરસિદ્ધ માતાનું ઉત્તરાભિમુખ પ્રાચીન મંદિર આવેલું છે. આ મૂળમાં શૈવ મંદિર હાય એમ જણાય છે.૨૦૯ મદિરના ગર્ભગૃહના ભોંયતળિયામાં આવેલ લિંગ અને જળાધારીને નષ્ટ કર્યાંની સ્પષ્ટ નિશાનીએ જણાય છે. દ્વારશાખાના લલાટખિખમાં ગણેશનું શિલ્પ અને એતરંગમાં નવ ગ્રહેાના પટ્ટ છે. માવરની જંધાના ભદ્રગવાક્ષની મૂતિ એમાંની કેટલીક ગુમ થઈ છે અને કેટલીક દરિયાની ખારી હવાને કારણે ખવાઈ ગઈ છે, માંડપ પરની સંવર્ણાં ઉત્કૃષ્ટ કાટિની છે. શિખરના કેટલાક ભાગ ખંડિત થયા છે.
સેજકપુર( તા. લીમડી, જિ. સુરેન્દ્રનગર )ના નવલખા મંદિરનું ગર્ભગૃહ ૩૪ ફૂટ પહેાળાઈનુ તે રગમડ૫ ૪૫ ફૂટ પહોળાઈ ના છે. મંદિરનું ગર્ભ દ્વાર નષ્ટ થયુ છે.૨૧૦ મંડપ પરની સંવર્ણાં તથા ગર્ભગૃહ પરનું શિખર પણુ જ - રિત થયાં છે. મંડપના સ્તંભા ૧૨૫ ફૂટ ઊંચાઈના છે. એ પરથી અષ્ટકાણાકારી પાટ પર ૧પા' વ્યાસના કરાટકની રચના છે. ઘુમ્મટમાં નાના કદનાં ૧૨ શિલ્પ છે. ઘુમ્મટના થરાની યાજના કાલ-કાચલા ધાટની છે. સ્ત ંભાની શિરાવટીમાં કાચકાનાં શિલ્પ છે. મંદિરના ગર્ભગૃહના તલદનમાં અનેકવિધ નિગમા, નાસિકા કે કાલના હેાવાને કારણે મ ંદિરની રચના બાખતમાં વિવિધ મતો ઊભા થયેલા. પ બ્રાઉને મંદિરના તલદનની નાસિકા-રચના પુષ્પત્રાવલિઘાટની માનેલી૨૧૧. શ્રી એસ. કે. સરસ્વતી તથા ડો. અશાકકુમાર મજુમદારે તલદશ નનેા પુષ્પપત્રાવલિ-ધાટ મધ્યે ધરી પર ચક્રાકારે આવન પામતા ચેસના સિદ્ધાંત પર આધારિત હોવાનુ માનેલુ,૨૧૨ પરંતુ વાસ્તવમાં તેા ગર્ભગૃહના તલમાનમાં આયેાજિત ભદ્રપ્રતિરથાદિ નિ`મા તથા કાળુભાગને અનેક નાના નિગ મેામાં વહેંચી નાંખેલ હોવાથી એ ભ્રમ પેદા થયા છે.
દ્વારકા( તા. ઓખામંડળ, જિ. જામનગર )નુ રુમિણી મંદિર પશ્ચિમા