Book Title: Gandharwad
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 614
________________ ગણધરવાદ અગિયારમા ગણધર - પ્રભાસ ૫૮૯ કે મુક્તાત્માને ઈન્દ્રિયો ન હોવાથી જો જ્ઞાનાભાવ માનશો તો જીવતાભાવ પણ (અજીવત) પણ માનવાનો તમને પ્રસંગ આવશે. માટે ઈન્દ્રિયો ન હોવા છતાં પણ જેમ જીવત્વ સ્વભાવભૂત જાતિ હોવાથી તે જીવત્વ અખંડિત અને અબાધિત રહે છે તેમ શાનિત્વ એ પણ સ્વભાવભૂત જાતિ હોવાથી આ જ્ઞાનિત્વ ધર્મ પણ અખંડિત અને અબાધિત રહે જ છે. અજ્ઞાનિત્વ આવતું નથી. આવા પ્રકારનો આડો પ્રશ્ન કરવાનું કારણ તો પૂર્વે અમે કહી જ ગયા છીએ કે “પવિત્તપરીક્ષાર્થ પ્રેર્થમવાર્થ: તવીન” પરની શક્તિની પરીક્ષા કરવા માટે જ અમે આ પ્રશ્ન કર્યો છે. પરંતુ “રામાવત્ ઈન્દ્રિયો ન હોવાથી'' આ હેતુથી મુક્તિગત આત્મામાં અજીવત્વ સિદ્ધ થતું નથી. કારણ કે ઈન્દ્રિયોની અને જીવવની વ્યાપ્તિ થતી નથી. જ્યાં કાર્ય-કારણભાવ હોય ત્યાં વ્યાપ્તિ થાય. જેમકે અગ્નિમાંથી ધૂમાત્મક કાર્ય પ્રગટે છે. અગ્નિ એ કારણ છે અને ધૂમ એ કાર્ય છે. તેથી જ્યાં જ્યાં ધૂમ (ધૂમાત્મક કાર્યો હોય ત્યાં ત્યાં અગ્નિસ્વરૂપ કારણ પણ હોય જ. કારણ કે અગ્નિમાંથી જ ધૂમ પ્રગટે છે. તેવા પ્રકારનો કાર્યકારણભાવ જીવત્વને અને ઈન્દ્રિયોને નથી. જેમ અગ્નિ વડે ધૂમ કરાયો છે તેમ ઈન્દ્રિયો વડે જીવત્વ કરાયેલું નથી. તેથી ઈન્દ્રિયો ચાલી જાય એટલે જીવતા પણ ચાલ્યું જાય એમ બનતું નથી. તથા જ્યાં જ્યાં વ્યાપ્ય-વ્યાપકભાવ હોય ત્યાં ત્યાં વ્યાપ્તિ થાય. જેમકે “શિંશપાપણું (સરગવાપણું) અને વૃક્ષપણું.” જ્યાં જ્યાં શિંશપાત્વ (સરગવાપણું) હોય ત્યાં ત્યાં વૃક્ષત્વ હોય જ. કારણ કે શિંશપાત્વ એ વ્યાપ્ય છે અને વૃક્ષત્વ એ વ્યાપક છે. તેવું ઈન્દ્રિયો અને જીવત્વ વચ્ચે વ્યાપ્ય-વ્યાપકપણું પણ નથી કે જેથી વ્યાપ્તિ થાય. જેમ શિંશપાની સાથે વૃક્ષત્વ એ વ્યાપક છે એટલે વૃક્ષત્વની નિવૃત્તિ થાય તો શિંશપાની પણ અવશ્ય નિવૃત્તિ થાય. તેવી રીતે જો જીવત્વ વ્યાપ્ય હોત અને ઈન્દ્રિયો વ્યાપક હોત તો તો વ્યાપક એવી ઈન્દ્રિયોની નિવૃત્તિ થવાથી વ્યાપ્ય એવું જીવત્વ પણ નિવૃત્તિને પામત. પણ એવો વ્યાયવ્યાપક ભાવ નથી. આ રીતે અગ્નિ અને ધૂમની વચ્ચે જેવો કાર્યકારણભાવ છે તથા શિંશપા અને વૃક્ષત્વની વચ્ચે જેવો વ્યાય-વ્યાપકભાવ છે તેવો કાર્ય-કારણભાવ કે વ્યાપ્ય વ્યાપક ભાવ વત્વ અને ઈન્દ્રિયોની વચ્ચે નથી. માટે વ્યાપ્તિ થતી નથી. તેથી ઈન્દ્રિયોની નિવૃત્તિ થવા છતાં જીવમાં રહેલું જીવત્વ ચાલ્યું જતું નથી. જીવમાં રહેલું જીવત્વ એ અનાદિકાલીન એવા પરિણામિકભાવે રહેલું છે, તેથી અકૃત્રિમ છે. જ્યારે ઈન્દ્રિયો એ નામકર્મના ઉદયથી આવેલી છે, માટે ઔદયિકભાવે છે

Loading...

Page Navigation
1 ... 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650