Book Title: Dhyan Ek Parishilan
Author(s): Sunandaben Vohra
Publisher: Deepakbhai & Dharmiben Shah USA

View full book text
Previous | Next

Page 205
________________ કરવું, માનસિક વિચાર કરી મનને તેમાં જોડી દેવું. તે તે પછી મનને નિર્વિચાર, નિર્વિકાર કરવું તે રૂપાતીત ધ્યાન છે. પૂર્ણ શુદ્ધ સ્વરૂપ વિના જેમને બીજું કોઈ આલંબન નથી તેવા યોગી સિદ્ધસ્વરૂપમાં લીન થાય છે. ધ્યાતા-ધ્યાનનો લય થઈ ધ્યેયની સાથે એકભાવને પામે છે. અંતમાં પોતાને પરમાત્મારૂપે અનુભવે છે. પ્રારંભમાં અપૂર્વ આનંદ અનુભવાય છે. વળી વિક્ષેપો આવે છે. જેમ જેમ આત્મધ્યાનનું બળ વધતું જાય તેમ તેમ વિક્ષેપો ઘટતા જાય છે. વારંવાર આત્મધ્યાન, આત્મજ્ઞાન-વિચારનો પ્રયત્ન કરવો. આ રૂપાતીત ધ્યાનમાંથી ઊઠયા પછી પણ અનિત્ય-અશરણ આદિ ભાવનાઓનો વિચાર કરવો. જેથી અંતઃકરણ બીજે ખેંચાઈ ન જાય. આ ભાવનાઓ છૂટેલા ધ્યાનના પ્રવાહને જોડેલો રાખે છે. આવા ધર્મધ્યાનની સ્થિતિ ૪૮ મિનિટ અંતર્ગત પ્રમાણ રહે છે, કારણ કે તેમાં ક્ષાયોપથમિક ભાવ હોય છે. ધર્મધ્યાન કરવાથી શુભ આસ્વરૂપ પુણ્ય બંધાય છે, આવતાં કર્મ રોકાય છે, પૂર્વકર્મનો નાશ થઈ નિર્જરા થાય છે. ધર્મધ્યાનમાં સ્થિર ન રહેવાય ત્યારે મહાપુરુષોના ગુણો ગાવા, ભક્તિ કરવી, દાન-શીલ-તપ-ભાવના જેવાં કર્તવ્યો કરવાં. ધર્મધ્યાનીનું એ લક્ષણ છે. રૂપાતીત ધર્મધ્યાનમાં શુકલધ્યાનનો આંશિક અનુભવ થાય છે. આ ઉપરાંત મૈત્રી, પ્રમોદ કરુણા, મધ્યસ્થ આદિ ભાવના, તથા વૈરાગ્ય, જ્ઞાન, દર્શન, તપ આદિ ભાવના ચિંતવવી. • ધર્મધ્યાનનો ઉપસંહાર આ પ્રકારે ચાર પ્રકારના ધ્યાનરૂપ અમૃતમાં મગ્ન થયેલું મુનિનું મન જગતનાં તત્વોનો સાક્ષાત્કાર કરી આત્માની શુદ્ધિ કરે છે. ધ્યાન કર્યા પછી જે મુનિ વિવિધ પ્રકારની અનિત્યાદિ ભાવનાનું નિરંતર ચિંતવન-વિચારણા કરે છે તે મહાધ્યાની છે. અનુપ્રેક્ષા એ ધ્યાન પછીની ઉત્તમ વિચારણા છે. ઉપસર્ગ આવ્યું જે ધ્યાનથી ચલાયમાન ન થાય, ઈદ્રિયના ૧૮૬

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236