Book Title: Bhav Manjusha
Author(s): Kumarpal Desai
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 71
________________ ઉત્સાહભેર વૈયાવચ્ચ કરતા હતા. આ સમયે ગરીબ ભિખારીની દશા ધરાવતા સંપતિને બટકું રોટલોય મળતો નહોતો. એણે સાધુઓ પાસે ભિક્ષા માગી ત્યારે ખ્યાલ આવ્યો કે જો એ દીક્ષા લે તો જ આ સાધુઓ એને એમનું ભોજન આપી શકે. સંપ્રતિએ દીક્ષા લીધી. ખૂબ ભોજન કર્યું. એ પછી અંતિમ સમયે સાધુ સંપતિનું સમાધિમરણ થયું ત્યારે ગુરુદેવે એમને નવકાર સંભળાવ્યો હતો. આ સાંભળીને મહારાજા સંમતિએ પોતાનું રાજ્ય આચાર્ય સુહસ્તિસૂરિને ચરણે ધર્યું, પરંતુ અકિંચન વૈરાગી મુનિ વળી રાજને શું કરે ? આચાર્યશ્રીએ એને જૈન ધર્મનો ઉપદેશ આપ્યો. રાજા સંપ્રતિ ધર્મના સાચા આરાધક અને મહાન પ્રભાવક બન્યા. ભારતની સરહદો ઓળંગીને એને પાર જૈન ધર્મનો પ્રસાર કર્યો. ગુરુદેવના પૂર્વજન્મના અને આ જન્મના ઉપકારોને સંપ્રતિએ શિરે ચડાવ્યા. પોતાના જીવનકાળમાં એણે અનાર્ય દેશોમાં જૈન સાધુઓને ધર્મપ્રચાર માટે મોકલ્યા. ગરીબોને મફત ભોજન આપતી દાનશાળાઓ ખોલાવી. જૈન વિહારોનું નિર્માણ ૬૦ શૂળીને સ્થાને સિંહાસન શીલ તો સુદર્શન શેઠનું. સદાચારી જીવન ગાળનાર સુદર્શન શેઠના જીવનમાં શીલની કપરી અગ્નિપરીક્ષા થઈ. અંગ દેશની ચંપાપુરી નગરીના રાજા દધિવાહનની રાણી અભયાએ શેઠ સુદર્શનનો ગર્વ ઉતારવાનો નિર્ણય કર્યો. એક વાર યુદ્ધમાં વિજયી બનીને મહારાજા સંપ્રતિ પાછા ફર્યા. ચોતરફ વિજયનો ઉલ્લાસ લહેરાતો હતો, પરંતુ મહારાજ સંમતિની માતાના ચહેરા પર ધોર વિષાદ અને નિરાશા છવાયેલાં હતાં. મહારાજ સંમતિએ માતાને આવી વ્યથાનું કારણ પૂછવું ત્યારે માતાએ કહ્યું કે સામ્રાજ્યવિસ્તારના લોભમાં તે કેટલો બધો માનવસંહાર કર્યો! આવા ઘોર સંહારને બદલે ચિત્તને પાવન કરતાં જિનમંદિરો રચ્યાં હોત કે એના જીર્ણોદ્ધાર કરાવ્યા હોત તો મારું હૃદય અપાર પ્રસન્નતા અનુભવત, આથી સમ્રાટ સંપ્રતિએ પોતાના જીવનકાળમાં સવા લાખ જિનમંદિરો બનાવ્યાં અને સવા કરોડ જિનબિંબ ભરાવીને માતાની ભાવનાને યથાર્થ કરી. મહારાજા સંપ્રતિ પોતાના દાદા સમ્રાટ અશોકની માફક પ્રજાવત્સલ, શાંતિપ્રિય, અહિંસાના અનુરાગી અને પ્રતાપી સમ્રાટ હતા. મહારાજા સંમતિને પિતા કુણાલ અને માતા કંચનબાલા પાસેથી ઉમદા ધાર્મિક સંસ્કાર સાંપડ્યા હતા. પોતાના ધર્મગુરુ આચાર્યશ્રી સુહસ્તિસૂરિના ઉપદેશને કારણે આદર્શ જૈન રાજવીની માફક એમણે જીવન વ્યતીત કર્યું. સમ્રાટ સંપ્રતિના ભવ્ય જીવનની ગાથા ‘સંપ્રતિકથા', ‘પરિશિષ્ટપર્વ’ અને ‘પ્રભાવકચરિત્ર' જેવા જૈન ગ્રંથોમાં વર્ણવાઈ છે. વિખ્યાત ઇતિહાસવિદ્દ વિન્સેન્ટ સ્મિથના કહેવા પ્રમાણે મહારાજા સંપ્રતિએ છે કે ઈરાન અને અરબસ્તાન જેવા દેશોમાં જૈન સંસ્કૃતિનાં કેન્દ્રો સ્થાપિત કર્યા હતાં. રાણી અભયા માનતી કે એના અપાર દેહસૌદર્યને કારણે જો એ કોઈનો કામાતુર બની હાથ પકડે તો પથ્થર પણ પીગળી જાય, તો પુરુષને ચલાવવામાં કઈ મુશ્કેલી હોય ? કઠોર વનવાસીઓ અને તપસ્વીઓએ નારીના મોહને કારણે વન અને તપ છોડી દીધાં, ત્યારે આ મૂદુ મનવાળો ગૃહસ્થ સુદર્શન તે વળી શી વિસાતમાં ? પુરોહિતની પત્ની કપિલા શેઠ સુદર્શન પર મોહ પામી હતી, પરંતુ શેઠ સુદર્શન એની મોહજાળમાં ફસાયા નહીં, તેથી એણે રાણી અભયાના આ ગર્વમાં ઘમંડનું ઘી હોમવાનું કામ કર્યું.. પર્વના દિવસે પોતાના આવાસમાં સુદર્શન કાયોત્સર્ગ કરીને ઊભા હતા ત્યારે અભયા રાણીના સેવકો સુદર્શનને પકડીને મહેલમાં લઈ આવ્યા. રાણી અભયાએ એને વશ કરવા સામ, દામ, દંડ ભાવમંજૂષા ૨ ૧૩૦ 10 ૧૩૧ છ ભાવમંજૂષા

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82