Book Title: Be Ghadi Yog
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 73
________________ ઇમબોધ-મંથમાળા : ૭૦ : પુળા નામની સાવીને સમાગમ થયે. તેમને પિઢિલાએ કહ્યું છે આય ! એક વાર હું અમાત્યનાં હૈયાને હાર હતી અને આજે આંખે દીઠી પણ ગમતી નથી, માટે કઈ એવા ચૂર્ણ મંત્ર કે કામણને પ્રગ બતાવે, જેથી ફરીવાર હું તેને વલ્લભ થાઉં.” સુત્રતાએ કહ્યું: “હે દેવાનુપ્રિયે! અમે નિગ્રંથ બ્રહ્મચારિણી સાવીએ છીએ, એટલે સંસારની ખટપટમાં પડતી નથી, તેમજ આવી વાત સાંભળતી પણ નથી. પરંતુ તારે મનનું સમાધાન મેળવવું હોય તે સર્વજ્ઞકથિત ધર્મ સાંભળ.” અને તેમણે ધર્મનું સ્વરૂપ સમજાવ્યું તથા શ્રાવકનાં વ્રતનું રહસ્ય કહી સંભળાવ્યું. એટલે પિટ્ટિલાએ શ્રાવકત્ર ધારણ કર્યા. - પછી એક વાર સર્વવિરતિ ચારિત્ર ધારણ કરવાની ઈચ્છાથી તેણે અમાત્ય આગળ રજા માગી, ત્યારે અમાત્યે કહ્યું: “હું એક શરતે તને સાધ્વી થવાની રજા આપું. જે તપ-જપનાં પરિણામે તું બીજા ભવમાં દેવ થા તે મને પ્રતિબંધ કરવાને આવજે' પિટ્ટિલાએ એ શરતને સ્વીકાર કર્યો અને સર્વવિરતિ ચારિત્ર અંગીકાર કર્યું. એ ચારિત્ર પાલનના પરિણામે તેની સદ્દગતિ થઈ અને પિટિલ નામને દેવ બની. પિઠ્ઠિલદેવને પિતાનું વચન યાદ આવ્યું અને તે વિવિધ ઉપાયથી અમાત્યના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય તેવા પ્રયાસો કરવા લાગ્યા. પરંતુ અમાત્યની સુખશીલતાના કારણે એ ઉપાય કારગત થયા નહિ ત્યારે દેવે આકરે ઉપાય અજમાવ્યો. પ્રથમ તે જે રાજા પ્રત્યે તેને અનહદ પ્રેમ હતું તેનાં મનમાં વૈમનસ્ય ઊભું કર્યું અને પછી તેના માતાપિતા તથા સેવકોના

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88