Book Title: Balbodh Pathmala 1
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 23
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુત્રી- શું તેઓ જન્મથી જ વીતરાગ સર્વજ્ઞ હતા? તેમનો જન્મ કયાં થયો હતો? બા- ના, બેટી, તેમણે વીતરાગતા અને સર્વશતા પુરુષાર્થથી પ્રાપ્ત કરી હતી. તેમનો જન્મ અયોધ્યા નગરીમાં ત્યાંના રાજા નાભિરાયની રાણી મરુદેવીની કુખે થયો હતો. પુત્રી- તેઓ રાજકુમાર હતા, શું તેમણે રાજ્ય ન કર્યું? બા- રાજ્ય કર્યું અને લગ્ન પણ કર્યા હતા. તેમના લગ્ન બે વાર થયા હતા. પહેલી પત્નીનું નામ નંદા હતું, તેનાથી ભરત ચક્રવર્તી વગેરે સો પુત્રો અને બ્રાહ્મી નામની એક પુત્રી જન્મી હતી. બીજી પત્નીનું નામ સુનંદા હતું, તેનાથી બાહુબલી નામના પુત્ર અને સુન્દરી નામની પુત્રી જન્મી હતી. પુત્રી- તો શું ભરત ચક્રવર્તી અને બાહુબલી આદિનાથ ભગવાનના જ પુત્રો હતા ? બા- ભગવાન તો તેઓ પાછળથી થયા. તે વખતે તેમનું નામ રાજા ઋષભદેવ હતું. તેઓ પ્રથમ તીર્થંકર ભગવાન હોવાથી લોકો તેમને આદિનાથ પણ કહેવા લાગ્યા. એક દિવસ રાજા ઋષભદેવ પોતાની સભામાં બેસીને નીલાંજનાનું નૃત્ય જોઈ રહ્યા હતા. નૃત્યની વચમાં જ નીલાંજનાનું મૃત્યુ થઈ ગયું. એ જોઈને તેમને સંસારની ક્ષણભંગુરતાનો ખ્યાલ આવ્યો અને રાજપાટ વગેરે બધાનો રાગ છોડીને દિગંબર મુનિ થઈ ગયા. છ મહિના સુધી તો આત્મધ્યાનમાં લીન રહ્યા. ત્યાર પછી છ મહિના સુધી વિધિ પૂર્વક આહાર મળ્યો નહિ. ૧૮ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26