Book Title: Atmashuddhipayog Anuwad
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
देहे स्थितेऽपि वैदेहाश्चाऽघातिकर्मभोगिनः। सर्वविश्वस्य कल्याणं कुर्वन्ति देशनादिभिः ॥७०६ ॥
અઘાતિકર્મોને ભોગવનારા કેવલીઓ દેહ હોવા છતાં પણ દેહ ભાવ વિનાના છે અને તેઓ દેશના પ્રવચન વગેરેથી સમસ્ત વિશ્વનું કલ્યાણ કરે છે. (૭૦૬)
त्यक्वा निद्रादशां घोरां स्वप्नस्य विकलां दशाम् । जागद्दशां च संप्राप्य सम्प्रति जागृहि स्वयम् ॥ ७०७ ॥
ઘોર નિદ્રાદશાનો તથા વિકલ સ્વપ્ન દશાનો ત્યાગ કરીને અને જાગ્રર્દશાને સારી રીતે પ્રાપ્ત કરીને હાલમાં તું સ્વયં જાગ્રત થા. (૭૦૦)
उत्तिष्ठ जागरुकस्त्वमात्मधर्मे रतो भव । आत्मनि स्वात्मबुद्धिं त्वं धारय स्वीयवीर्यतः ॥७०८ ॥
તું નિદ્રા આળસ તજીને ઊભો થા. જાગરૂક થા અને આત્મ ધર્મમાં તું રત થા, લીન થા. તું સ્વ-આત્મ પરાક્રમથી આત્મામાં જ આત્મ બુધ્ધિને ધારણ કર. (૭૦૮).
अन्यतीर्थेषु सिद्धानां सम्यग्दर्शनमस्तिता। सम्यग्दर्शनलाभेन समभावः प्रजायते ॥७०९ ।।
અન્યતીર્થોમાં સિદ્ધ થયેલાઓને સમ્યગ્દર્શનની અસ્તિતા હોય છે. સમ્યગ્દર્શનના લાભથી સમભાવ ઉત્પન્ન થાય છે. (૭૦૯)
सम्यक्वमन्तरा साम्यं नोद्भवेत् सर्वधर्मिषु । मिथ्याबुद्धिः प्रणश्येन्न सम्यग्दर्शनमन्तरा ॥७१० ॥
સર્વધર્મીઓમાં સમ્યક્ત્વ સિવાય સામ્ય ઉત્પન્ન થતું નથી. કારણ કે સમ્યગ્દર્શન વિના મિથ્થાબુદ્ધિ નાશ પામતી નથી. (૭૧૦)
૧૪૨
For Private And Personal Use Only

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177