________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૦
આત્માવલોકન મનું તપ તવેવ તપ: રૂપા
અર્થ :- શરીર, પરિગ્રહ, ભોગ, કુટુંબ, ઇષ્ટમિત્ર, શત્રુરૂપ પરયોને છોડવા અથવા તેનામાં મમતા રહિત પરિણતિ થવી તથા તેનામાં તૃષ્ણા રહિત થવું અને પોતાના સ્વભાવમાં સ્થિરતા થવી એવી તપસ્યા જ તે તપ કહેવાય છે.
(ભાવનાનું લક્ષણ) यत् निजस्वभावस्य अनुभावनं तदेव [ सर्व] भावना।।४।।
અર્થ - પોતાના સ્વભાવની વારંવાર ભાવના કરવી (પોતાના સ્વભાવનું વારંવાર ચિંતન કરવું) તે જ ભાવના કહેવાય છે.
(વ્રતનું લક્ષણ) यत् इन्द्रियमनभोगादिभ्यः संवरणं परिणामानां तत् व्रतम्।।५।।
અર્થ - ઇન્દ્રિય, મન અને ભોગાદિકની તરફ જતાં પોતાના પરિણામોને રોકવા તે વ્રત કહેવાય છે.
(દયાનું લક્ષણ) यत् निजस्वस्वभावं विकारभावेन न घातयति न हिनस्ति, निजस्वभावं पालयति तदेव | सैव ] दया।।६।।
અર્થ - વિકારમય પરિણામો દ્વારા પોતાના નિજસ્વભાવનો ઘાત ન કરવો તથા પોતાના સ્વભાવનું પાલન કરવું તે જ દયા છે.
(યતિ અને શ્રાવકનું લક્ષણ). सर्वइन्द्रियभोगेभ्यः देहादिपरिग्रहममत्वत्यजनं तत्। [स] यतिः। किंचित् त्यजनं श्रावकः।।७।।
અર્થ :- સમસ્ત ઇન્દ્રિયોના ભોગોથી અને શરીરાદિ પરિગ્રહથી સર્વમાં મમતા રહિત થવું તે યતિનું લક્ષણ છે. એનામાં એકદેશ મમત્વનો ત્યાગ હોવો તે શ્રાવકનું લક્ષણ છે.
Please inform us of any errors on [email protected]