Book Title: Aptavani 13 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 14
________________ જગત કલ્યાણની ભાવના એ ય પ્રશસ્ત રાગ. એટલે કપટ વગરનો લોભ. ભગવાન સીમંધરના દર્શન થતાં જ આ પ્રશસ્ત રાગ એની મેળે જ છૂટી જશે. એ પ્રશસ્ત રાગ એ છેલ્લું અવલંબન છે નિરાલંબ થતાં સુધીનું. મહાત્મા પર રાગ બેસે તે ય પ્રશસ્ત રાગ ! દાદાશ્રી પર રાગ બેસે તે ય પ્રશસ્ત રાગ. એનાથી ખૂબ શાંતિ લાગે. અને આસક્તિ હોય તો ત્યાં પાછળથી અશાંતિ થઈ જાય. દાદાશ્રી વઢે તોય પ્રશસ્ત રાગ જાય નહીં ! ચૂલો સળગાવ્યો, રસોઈ કરી, પછી ચૂલો પાછો હોલવવો પડે ને ? હોલવવો હતો તો સળગાવ્યો શું કરવા ? એ કરવું જ પડે, ના ચાલે. તેમ આ પ્રશસ્ત રાગ ઉત્પન્ન થાય પછી છેવટે જાય. સંસારનો રાગ કાઢવા આ જરૂરી છે. દાદાશ્રી પાછાં મળવાના ? જેનો હિસાબ બંધાયો હોય તે છોડે ? [૨૫] વીતરાગતા વીતરાગમાં વીતરાગ રહે પણ જ્ઞાનીઓ તો રાગમાં ય વીતરાગ રહે! સમત્વ એટલે માન આપે તેની પર રાગ નથી ને અપમાન કરે તેની પર દ્વેષ નથી. ઉદાસીનતા એટલે અહંકાર સાથે રાગ-દ્વેષ નહીં તે. ઈન્દ્રિયોને રાગ-દ્વેષ ના હોય. આ તો અજ્ઞાન ઊંધું દેખાડે. જ્ઞાનીને ને અજ્ઞાનીને જગત સરખું જ દેખાય. ફેર માત્ર રાગ-દ્વેષનો જ છે ! જ્ઞાન વિશાળ ને ઐશ્વર્યવાન છે, પણ પોતાની વાડને લીધે દેખાતું નથી ! મહાત્માને વીતરાગ થવાની ઉતાવળ છે ? એમ કંઈ સો ઝટ થઈ જાય ! અવળીમાંથી સવળીએ ચઢયું એ જ મોટું છે. મહાત્માને રાગ-દ્વેષમાં હવે રસ ના હોય. જ્ઞાની જેવી વીતરાગતા કેવી રીતે થાય? જ્ઞાનીના ટચમાં રહેવાથી. તેમને જોઈને શીખાય. જ્ઞાનીની આંખો જુઓ. એમાં જ વીતરાગતા જોવા મળશે. વીતરાગને જોવાથી વીતરાગ થવાય. થીયરી લાખ હોય પણ પ્રેકટીકલ જુએ કે તરત જ આવડી જાય ! જગત નિર્દોષ દેખાય એ વીતરાગ થયાની નિશાની ! કોઈ અપમાન કરે, ગાળો દે ને તે અડે નહીં તો એટલા તમે વીતરાગ થયા, ભગવાન થયા. અને આખું જગત જીતી ગયા તો પૂર્ણ ભગવાન ! પછી કોઈની જોડે ય મતભેદ ના રહે ! દેહને રમતો મુકવો એટલે શું ? ભમરડો નાખ્યા પછી એને ફરી દોરી વીંટવાની નહીં. પછી તો કેવો ફરે છે તે જોયા જ કરવાનું ! પુદ્ગલને હવે જોયા કરે તો તે ચોખ્ખું થઈ જાય ને છૂટાય. સમ્યક્ દર્શન ને આત્મસાક્ષાત્કાર એક જ વસ્તુ છે. સમ્યક દર્શન વીતરાગતાની શરૂઆત છે. પ્રતિષ્ઠિત આત્મા વીતરાગ થાય ? ના. એનામાં વીતરાગતાનો પાવર આવે પણ વીતરાગતાનો ગુણ આવે નહીં. દાદાશ્રીની આજ્ઞામાં રહેવાનો પુરુષાર્થ જ વીતરાગ બનાવશે ! રામ, મહાવીર વીતરાગ થયા તે કોઈ ક્રિયાને આધારે નહીં પણ જ્ઞાનના આધારે થયા ! જ્ઞાન જ્ઞાની પાસેથી મળવું જોઈએ ! વીતરાગ દશામાં કઈ રીતે રહેવાય ? કોઈની જોડે ક્રોધ-માન-માયાલોભ નહીં કરવા એ વીતરાગ. એ થયું એટલે વીતરાગતા ચૂક્યા. ફરી પાછું સાધવું. એમ કરતાં કરતાં સ્થિર થવાય. નાનું છોકરું ચાલતાં શીખે ત્યારે કેવી સ્થિતિ હોય ? વીતરાગ થાય એટલે ભગવાન થાય. મહીં પરમાત્મા જ છે. પણ ખોખું પણ પછી ભગવાન થઈ ગયું કહેવાય !

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 258