Book Title: Aptavani 13 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 263
________________ ૪૪ આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) સહજતા એટલે જ પ્રયત્ન દશા ! પ્રશ્નકર્તા : પેલી ચરણવિધિમાં છેને, મન-વચન-કાયાની આપના જેવી સહજતા મને પ્રાપ્ત થાય, તો એ સહજતા કેવી છે ? એટલે સહજતાની વ્યાખ્યા શું? દાદાશ્રી : સહજતા એટલે કોઈ પણ જાતનો આમ, જાડી ભાષામાં કહે તો અપ્રયાસ દશા. કોઈ પણ પ્રયાસ નહીં. આત્માએ કરીને પ્રયાસ નહીં અને દેહે કરીને ય કોઈ પ્રયાસ નહીં. માનસિકેય પ્રયાસ નહીં ને બુદ્ધિનો ય પ્રયાસ નહીં. પ્રયાસ નહીં, અપ્રયાસ દશા. પ્રશ્નકર્તા ઃ એ પછી મન-વચન-કાયાનો સુમેળ તો હોયને? દાદાશ્રી : અનાયાસ દશા થઈ. બસ, પ્રયાસ નહીં. અને એમાંથી પ્રયાસ કરનારો નીકળી જાય. મન-વચન-કાયા કામ કરનારા છે, પણ પ્રયાસ કરનારો નીકળી જાય. પ્રયાસ કરનારની ગેરહાજરી એ છે તે સહજદશા અને પ્રયાસ કરનારની હાજરી એ અસહજ. એટલે એ પ્રયાસ કરનારો જવાથી સહજ. પછી જે ક્રિયા થતી હોય તે એ ક્રિયાનો વાંધો નથી. પ્રયાસ કરનારનો વાંધો છે. આત્મા ને પ્રકૃતિની સહજતાથી પૂર્ણત્વ ! ૪૪૧ પ્રશ્નકર્તા : આ જે મન-વચન-કાયાની પ્રક્રિયા થાય છે તે વખતે પ્રયાસ કરનારો ખરેખર હોય છે ખરો ? દાદાશ્રી : પ્રયાસ કરનારો છે તે માટે જ આ પ્રયાસ કહેવાય છે. એ સહજ નથી કહેવાતું. પ્રયાસ કરનારો જતો રહે એટલે એની એ જ વસ્તુ પછી સહજ કહેવાય. પ્રશ્નકર્તા : તો આ મન-વચન-કાયાની જે પ્રક્રિયા પ્રયાસ કરનારો કરે છે ત્યારે જે બની જાય છે અને પ્રયાસ કરનારો જતો રહે છે ત્યારે જે બને છે એ ખરેખર તો બન્ને મિકેનિકલ જ હતુંને ? દાદાશ્રી : વસ્તુ એકની એક જ છે બનવામાં, બનવામાં ચેન્જ નથી. પ્રશ્નકર્તા એટલે આણે જો પ્રયાસ કર્યો ના હોત તોય એ જ બનત ? દાદાશ્રી : પ્રયાસમાં ડખલ છે, એ ભાંજગડ છે. પ્રશ્નકર્તા : ડખલનો ભોગવટો પોતાને આવે છે કે ડખલથી મનવચન-કાયાનો ફેરફાર થાય છે ? દાદાશ્રી : એ ફેરફાર થવાનોય નથી. પ્રયાસ કર્યો માટે અપ્રયાસ ના કહેવાય. પ્રશ્નકર્તા એ ખરું છે પણ એ પ્રયાસ થાય છે, તેનાથી મન-વચનકાયાની પ્રક્રિયામાં ફેરફાર થાય છે ? દાદાશ્રી : કશોય ફેરફાર નહીં ! પ્રશ્નકર્તા : તો પછી પ્રયાસ કરવાથી શું પરિણામ ઊભું થાય છે? દાદાશ્રી : એ તો એનો અહંકાર છે ખાલી, ‘હું કરું છું ! પ્રશ્નકર્તા : એનાથી આવતા ભવની જવાબદારી ગણાય ? દાદાશ્રી : હા, આવતા ભવની જવાબદારી લે છે. કારણ કે એ રોંગ બિલિફ છે. પ્રશ્નકર્તા : એટલે આ પ્રયાસ કરવાની પેલી આંટી જ પડેલી છે એને. દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : આ કોઈ પણ પ્રક્રિયામાં પ્રયાસની ખરેખર જરૂર જ નથી ? દાદાશ્રી : પ્રયાસની જરૂર, પેલું એનો કરનારો ના હોવો જોઈએ. પ્રયાસની જરૂર નહીં, એમ કહીએ તો તો પછી લોકો કામ કરવાનું છોડી દે બધું. છોડી દેવાનો ભાવ કરે. એટલે પ્રયાસની જરૂર. પ્રશ્નકર્તા : પણ હકીકત શું છે અંદરની, એક્કેક્ટનેસ? દાદાશ્રી : એ પ્રયાસ કરનારો જ જતો રહે એટલે બસ થઈ ગયું.

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296