Book Title: Aptavani 12 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 11
________________ શક્તિઓ પ્રગટ થાય, આવરણો તૂટીને ! જ્ઞાનીની કૃપા હોય તો આજ્ઞા પળાય અને આજ્ઞા પાળે એટલે કૃપા મળે ! આમાં પહેલું રાજી કરવાનું આવે ! આજ્ઞાથી જ રાજીપો મળે. જ્ઞાનીને રાજી કરવા એનાથી ઉત્તમ ધર્મ વર્લ્ડમાં બીજો કોઈ નથી. જ્ઞાનીનો રાજીપો દરેક પર જુદો જુદો હોય. તેમને કોઈ જોડે ભેદ ના હોય છતાં આમ ભેદ કેમ ? સાધકના પરમ વિનયના આધારે હોય. નિરંતર પરમ વિનયી પર વિશેષ કૃપા હોય ! વિશેષ કૃપા એટલે શું ? સંપૂર્ણ કામ નીકળી જાય. અને કૃપા ‘દાદા ભગવાન'ની જ્ઞાનીની નહીં. દાદાશ્રીને દિલથી પ્રાર્થના કરવી, ‘દાદા, અમારા સંસારનો ભાર તમારા માથે ને તમારી આજ્ઞા અમારા માથે !” આજ્ઞા પાળીને પ્રતીતિમાં આવેલા આત્માનો પૂર્ણ અનુભવ કરી લેવાનો છે. આજ્ઞા પાળે છે કોણ ? પ્રતિષ્ઠિત આત્મા ? ના. પ્રજ્ઞા જાગૃત થઈ છે તે. અજ્ઞા આજ્ઞા પાળવા ના દે. આજ્ઞા પાળવાનો નિશ્ચય કોણ કરે છે ? એય પ્રજ્ઞાશક્તિનું જ કામ. પાંચ આજ્ઞા એ પુદ્ગલ છે, પણ રિલેટિવ-રિયલ છે. આત્માના તમામ સોપાનો એ રિલેટિવ-રિયલ કહેવાય ને આત્મા પોતે રિયલ છે ! દાદાનું શરણું લે, તેના જેવું એકુંય નહીં. ‘જે દાદાનું થાય તે મારું થજો.’ દાદાના કહ્યા પ્રમાણે રહેવું. જેને મોક્ષે જવું છે, તેને કોઈ ક્રિયાની જરૂર નથી. તેને તો જ્ઞાનીની આજ્ઞા અને સ્વરૂપજ્ઞાન બેની જ જરૂર છે. આજ્ઞા મનને શુદ્ધ રાખે ને જ્ઞાન સર્વ સંજોગોમાં સમાધાન આપે. આ પાંચ આજ્ઞાઓ એ. એમ. પટેલની નથી, જ્ઞાનીની નથી પણ ખુદ દાદા ભગવાનની છે, જે ચૌદ લોકનો નાથ છે. પાંચ આજ્ઞા એ તો વીતરાગોના વખતથી ચાલી આવે છે. દાદાશ્રી તો નિમિત્ત છે. અક્રમ વિજ્ઞાન એ મોટો સિદ્ધાંત છે. આમાં ક્યાંય પુસ્તકનું વાક્ય નથી. સ્વમાં સતત રહેવાય ક્યારે ? પાંચ આજ્ઞા પાળે ત્યારે. આજ્ઞાની કિંમત પૂરેપૂરી સમજાઈ નથી તેથી સરખી પળાતી નથી. જ્ઞાનીની કોઈ વિશેષ આજ્ઞા મળે તો તેના માટે “અહો અહો’ થઈ જાય ! 19. દાદાની સેવા કરવી એટલે આજ્ઞાની સેવા કરવી તે ! અને આજ્ઞાની સેવા કરવી અને દાદાની સેવા કરવી, એક જ. દેહની સ્થળ સેવા કરવા કરતાંય આજ્ઞા પાળવી ચઢી જાય ! [૨] રિયલ-રિલેટિવતી ભેદરેખા સ્વરૂપજ્ઞાન પામ્યા પછી રિયલ અને રિલેટિવ બે જુદાં પડ્યાં. રિયલ એ પુરુષ ને રિલેટિવ એ પ્રકૃતિ. પુરુષ થયા પછી પાંચ આજ્ઞારૂપી પુરુષાર્થ કરીને, પુરુષમાંથી પુરુષોત્તમ થવાનું છે ! ‘હું શુદ્ધાત્મા છું' એ ખ્યાલમાં, લક્ષમાં રહેવું જોઈએ. એને શુક્લધ્યાન કહ્યું. શુદ્ધાત્મા એ શબ્દ સ્વરૂપ નથી કે જપ સ્વરૂપે ય નથી. દરેક જીવમાત્રમાં શુદ્ધાત્મા જોવા એવું અડતાલીસ મિનિટ સુધી એકધાર્યું જોવાય તો તેને પુણિયા શ્રાવકનું સામાયિક થયું કહેવાય. સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ રહ્યો કહેવાય. આને જ દીવ્યચક્ષુ કહ્યાં. ‘તું હી’, ‘તું હી', નહીં પણ ‘હું હી’, ‘હું હી કરવાનું છે. દરેકમાં ‘હું જ છું, હું જ છું’ એ જ જોવાનું, ‘હું’ ‘તું'ના ભેદ નથી ત્યાં. એક વાર દાબડીમાં હીરો મૂક્યો પછી વાસીને કબાટમાં મૂકી દીધો હોય તો તે ખ્યાલમાં જ રહેને કે આ દાબડીમાં હીરો છે ! એને વારેઘડીયે કંઈ ખોલીને જોવો પડે ? તેમ એક વાર જ્ઞાન મળે પછી બધાંની અંદર શુદ્ધાત્મા જ છે એ ખ્યાલમાં બેસી જ જાય. હું શુદ્ધાત્મા છું’ એમ શા માટે બોલવું પડે ? ‘હું ચંદુભાઈ છું, હું ચંદુભાઈ છું’ કરીને જેટલું અવળું ચાલ્યા, તેટલું ‘હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું' કરીને પાછું ફરવાનું છે. પણ પછી તો એ લક્ષમાં સહેજે રહે જ. ચિત્ત શુદ્ધ થઈ જાય એટલે સહેજે વર્ત. આત્મા જાગૃત થયા પછી જ ‘હું શુદ્ધાત્મા છું' બોલાય. ઊંઘમાં ના બોલાય ! આ ઉપયોગપૂર્વકનું છે, મિકેનિકલ નથી. હું શુદ્ધાત્મા છું' એ જાપ નથી. જ્ઞાતા-શેય સંબંધ સાથે હોવું જોઈએ. જાપ જપે તો મન ટાટું પડે પણ જ્ઞાતા-શેય સંબંધ ના રહે ! સિંહનું બચ્ચું ભૂલથી જન્મતાં જ ઘેટાંના ટોળામાં ભળી ગયું તે ઘેટાં જેવું જ થઈ જાય. પણ કો'ક દા'ડો સિંહને જુએ ને ત્રોડ એની સાંભળે ને પોતેય એવી જ ત્રાડ પાડે કે સ્વભાવ તરત જાગી જાય. તેમ ‘હું ચંદુભાઈ છું’ આખી

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 253