Book Title: Anjanshalakana Rahasyo
Author(s): Vijaykirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 119
________________ જીવનના ૨પ-પ૦-૭૫ વર્ષ વીત્યાં, આટલાં વર્ષમાં આખી દુનિયાને ઓળખવાનો પ્રયત્ન ર્યો, વસ્તુઓને, વ્યક્તિઓને ઓળખવાનો પ્રયત્ન કર્યો, પણ આ “માને ઓળખવાનો પ્રયત્ન ક્યારે કર્યો ? દેરાસરમાં ગયા. ત્યાંની કોતરણી જોવાનો પ્રયત્ન કર્યો. શિલ્પ, સ્થાપત્ય, આંગી, પ્રભુનો આકાર જોવાનો પ્રયત્ન કર્યો, પણ પ્રભુને ઓળખવાનો પ્રયત્ન ક્યારે કર્યો ? પ્રતિમામાં રહેલા પરમાત્માને ઓળખવાનો પ્રયત્ન ક્યારે કર્યો ? એની વીતરાગતા, એની સર્વજ્ઞતા, એની કરુણા, એની નિર્વિકારતા, એની નિર્લેપતા, એનું અચિંત્ય સામર્થ્ય વગેરે ગુણોને ઓળખવાનો પ્રયત્ન ક્યારે કર્યો ? બાળકને હજાર સ્ત્રીની વચ્ચે મૂકો, છતાં એની આંખો ચકળવકળ થયા જ કરે. એ આંખો એની “મા'ની શોધમાં હોય છે. મારી “મા” બધાં કરતાં કઈ રીતે જુદી? એની વિશેષતા શી ? એની એને બરાબર ખબર હોય છે. જ્યારે આપણને આપણી “મા” બધાં કરતાં જુદી કઈ રીતે ? અને તેની શી વિશેષતા ? એની આજે ય ક્યાં ખબર છે ? તમે તો શનિવારે હનુમાનના મંદિરમાં જાઓ, મંગળવારે સિદ્ધિવિનાયકની લાઈનમાં દેખાઓ, ક્યાંક લીલી ચાદર ઓઢાવવા પણ ચાલ્યા જાઓ. તો વળી કોઈ ક્યાંક માથું મુંડાવા પણ જાય. તમે ગયા એ તો સમજ્યા, પણ ગયા ને આંચકો લાગ્યો કે, “હું ક્યાં આવી ગયો ? ના, આ મારું ઘર નથી. અહીં મારી મા દેખાતી નથી' એવું કાંઈ થયું ? પેલી હજાર સ્ત્રીઓ વચ્ચે માને શોધતા બાળકને “મા” મળે કે એ એની માને કેવો વળગી પડે છે ? કેવો નિરાંતનો શ્વાસ લે છે ? દુઃખની વિમુક્તિના અંતે જે અનુભૂતિ થાય છે તેવી અનુભૂતિ પરમાત્માને મળતાં આપણને ક્યારેય થઈ ?' ન થઈ. કારણ કે બાળક પોતાની માને ઓળખે છે, જ્યારે આપણે આપણી અધ્યાત્મજનેતા-માને ઓળખતા નથી. એનું જ આ પરિણામ છે ને ? પ્રભુને ઓળખ્યા વગર, એની સાથે જોડાયા વગર પ્રભુભક્તિ ક્યારે ય ન થાય. પ્રભુની ઓળખાણ અને જોડાણ વિના બિંબની પૂજા જરૂર થાય, પ્રતિમાની પૂજા જરૂર થાય પણ “પ્રભુની પૂજા ન થાય. પરમાત્માની પૂજા ન થાય. બિંબ એ તો માધ્યમ છે; પ્રભુને મેળવવાનું ! માનાં અંગનો સ્પર્શ બાળકને થાય. બંનેની દૃષ્ટિ મળે ત્યારે એને કેવી અંતરંગ ખુશી થાય ? બંનેનું એ મિલન કેવું હોય ? આવા અંતરંગ પરિણામો પરમાત્માની પ્રતિમાને જોઈને ક્યારેય આવ્યાં ? પરમાત્માની પૂજા કરતાં આવા કોઈ ભાવો પ્રગટ્યા ? સ્વીચ દબાવો ને લાઈટ થાય તેમ પ્રભુનાં દર્શન કરતાં, પ્રભુની પૂજા કરતાં, પ્રભુનો સ્પર્શ કરતાં ચિત્ત પ્રસન્ન થાય. 104 અંજનશલાકાનાં રહસ્યો

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150