________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭૨]
[૬૩ અજ્ઞાની જીવ આત્માને લૌકિકસાધનમાત્ર માને છે.
અજ્ઞાની માતા કહે કે અમે દીકરાને જન્મ આપ્યો, પુરુષ કહે કે અમારે લીધે દીકરો થયો. પુત્રના શરીરમાં પુત્રના આત્માનો પણ અભાવ છે તો પુત્રના શરીરના આકારમાં માબાપ નિમિત્ત થાય, એ કેમ બને? વળી આત્મામાં ઇંદ્રિયોનો અભાવ છે, પછી નિમિત્ત થવાપણું રહેતું નથી. છતાં પુત્રનો જન્મ થતાં પિતા ફાવ્યો ને દીકરી જન્મતાં માતા ફાવી એમ ભ્રમણાથી અજ્ઞાની માને છે.
આત્મા લૌકિકસાધનમાત્ર નથી. ઇંદ્રિયોની સમય સમયની પર્યાયને આત્માએ ગ્રહી જ નથી. આદિમાં માબાપ હતા તો વંશ રહ્યો, એમ માનવું તે ભ્રમણા છે. પરની પર્યાય કોણ કરી શકે ? કોઈ કરી શકે નહિ. શરીરના આકારની અવસ્થા તેના કારણે તથા ઈદ્રિયોની અવસ્થા તેના કારણે થાય છે, આત્મા તેને ગ્રતો નથી. પરયનીય આકૃતિનો આત્મામાં અભાવ છે. તેથી આત્મા કુટુંબનો વારસો રાખે તેવો અથવા લૌકિકસાધન માત્ર છે જ નહિ.
આત્મા વીતરાગી પર્યાય પ્રગટાવવામાં લોકોત્તર સાધન છે.
તો પછી આત્મા કેવો છે? લૌકિક સાધન નથી, પણ લોકોત્તર સાધન છે. આત્મા ચૈતન્ય જ્ઞાતાદષ્ટા શુદ્ધ સ્વભાવી છે. તે સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાયનો (પ્રજાનો) ઉત્પાદક છે પણ સંસારની પ્રજાનો ઉત્પાદક નથી. આવી રીતે આત્મા વીતરાગી પર્યાયને જન્મ આપે છે. આવી વીતરાગી પર્યાયનું સાધન ત્રિકાળી શુદ્ધ આત્મા થયો માટે તેને લોકોત્તર સાધન કહે છે.
અહીં અલિંગગ્રહણનો અર્થ: અન્નનહિ, લિંગ-પુરુષાદિની ઈદ્રિયના આકાર, ગ્રહણ=પકડવું. આત્મા પુરુષાદિની ઇંદ્રિયના આકારને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com