Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
૪૭૨
ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલના
ભોગો ભોગવવા લાગ્યો.
એક દિવસ જ્યારે તે ઝરૂખામાં બેઠો હતો ત્યારે તેની દષ્ટિ વધભૂમિ તરફ લઈ જવાતા એક માણસ ઉપર અચાનક પડી. તેને જોઈ સમુદ્રપાલનું હૃદય વૈરાગ્યથી ભરાઈ ગયું. તે વિચારવા લાગ્યો, “અહો, અશુભ કર્મોનું ફળ ખરાબ હોય છે. તે પછી તેણે માતા-પિતા પાસેથી અનુમતિ લઈ શ્રમધર્મનો અંગીકાર કર્યો. શ્રમફાઈનું સમ્યક પાલન કરી તેણે પોતાનાં બધાં કર્મો નષ્ટ કર્યા અને વિશાળ સંસારરૂપી સમુદ્રને પાર કરીને મોક્ષને પામ્યો.
આ આખ્યાન પરથી નીચેની બાબતો જાણવા મળે છે. ૧ શ્રમણધર્મનું પાલન કરવાનું ફળ – મોક્ષ ૨ વ્યાપાર અને સજાની વ્યવસ્થા ૩ કર્મોનું ફળ
આ રીતે બધા કથાત્મક સંવાદોમાં મુખ્યતરૂપે ધાર્મિક ચર્ચા કરવામાં આવી છે. આને મળતાં આવે એવાં કથાનકો અને સંવાદો મહાભારત તથા બૌદ્ધગ્રંથોમાં પણ જોવા મળે છે.
૧ જુઓ – પ્રાસ્તાવિક પૃ. ૪૫-૪૬, ૬. સમી. અધ્યયન ખંડ-૨,
પ્રકરણ ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org