Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અજીવ સંભવિત બનશે નહીં–સઘળા અજીવ પદાર્થને અજીવ જ માનવા પડશે પુદ્ગલાસ્તિકાયને એકદેશ હોવાથી પરમાણુંઓને પણ તમારા મત અનુસાર ને અજીવ માનવો પડશે. આ પ્રકારે સર્વત્ર નેઅજીવની જ સંભવતા રહેશે, પછી ત્રણ રાશીની પણ કલ્પના અસંગત થઈ જવાથી રાજસભામાં તમે જે ત્રણ રાશીની પ્રરૂપણ કરી છે, તે સુસંગત કઈ રીતે માની શકાશે ? કેમકે, આ પ્રકારના નિરૂપણથી તે જીવ અને અજીવ એ બેજ રાશીઓને સદભાવ સ્થાપિત થાય છે, આથી જીવના છેદમાં અનેક દોષને સદ્દભાવ આવે છે માટે તેને વિચછેદ ન માન જોઈએ.
અથવા-જીવને છેદ રહે તે પણ જીવ સિદ્ધ થતું નથી–ગળીને જીવ પૂછડી વિગેરે અવયના છેદથી ભલે છિન્ન થઈ જાય તે પણ તેમાં જીવના લક્ષણરૂપ કુરણ વિગેરેના સદૂભાવથી તે પૂંછડી વિગેરે દેશ નેજીવ કઈ રીતે થઈ શકે? ગળીમાં સંપૂર્ણ જીવ છે એ વાત જીવના અવિનાભાવી (સર્વદા અસ્તિત્વવાળા) ફુરણુ વિગેરે દ્વારા તે જાણી શકાય છે. સંપૂર્ણ કહેવાને આશય એના પિતાના શરીરની બરોબર અસંખ્યાત પ્રદેશી જીવથી છે. પૂંછડી વિગેરેનું છેદન થવાથી તેજ જીવ ફુરણાદિ લક્ષણથી ત્યાં પૂછડીમાં પણ જાણું વામાં આવે છે. એવી વાત તે નથી કે, ગાળીના શરીરમાં કઈ એક જીવ છે અને તેની કપાયેલ પૂછડીમાં કેઈ બીજે જીવ છે? જીવ તે એક જ છે. જે એમ હોત તે તેને નાજીવ માનવામાં કઈ હરકત ન હતી. પરંતુ એવું તે છે જ નહીં, કેમકે, જીવનું અમૂર્તપણું હોવાથી તેને છેદ થતું નથી. આથી તેને જીવ કહી શકાય નહીં.
રહગુપ્ત ફરી આચાર્ય મહારાજને કહ્યું ધારો કે જીવનું લક્ષણ છેડાયેલા અવ યામાં છે તે પણ તે છેદાયેલી છડી આદિ અવયને હું ને જીવ જ માનીશ ત્યારે આચાયે કહ્યું કે, તે પછી જીવને એક દેશ નેજીવની માફક અજીવ ઘટાદિકના દેશને પણ અજીવ માનવો પડશે. રેહગુખે કહ્યું, હા! માની લઈશ. તેમાં શું નુકશાન થવાનું છે ? આચાર્યે કહ્યું-નુકશાન કેમ નથી? ઘણું ભારે નુકશાન છે. અને તે એ છે કે તમે જે ત્રણ રાશીઓને માન્ય કરે છે. તેની જગાએ ચાર રાશી માનવી પડશે. ૧ જીવ, ૨ અજીવ, ૩ને જીવ, અને અજીવ.
રેહગુપ્ત કહ્યું-અજીવ રાશી જ માનવામાં આવશે પણ અજીવ રાશી નહીં. કારણ કે, અજીવને એક દેશ સ્કંધથી પૃથફભૂત હોવાથી તે પણ અજીવ જ કહેવાશે, પરંતુ અજીવ નહીં કહેવાય, કેમકે, તેને અજીવની માફક જ જાતી અને લિંગ છે અજીવત્વ જાતી અને પુલિગલક્ષણ લિંગ એ બને અજીવની માફક અજીવના એકદેશમાં પણ રહે છે. આથી તેને અજીવ ન કહી શકાય.
આચાર્યે કહ્યું–ઠીક છે, જે એમ જ છે તે જીવને એકદેશ પણ જીવ સમાન, જાતી અને લિંગથી વિશિષ્ટ હોવાથી જીવ જ કહેવાય પણ જીવ નહીં. આથી તમારી ત્રણ રાશીની માન્યતા ચોગ્ય નથી.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૨૬૦