Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
૨૯૪ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન જ્ઞાન આ શરીરને લીધે છે. આત્માની જડ જ્ઞાન છે, પણ જ્ઞાનની જડ સંસારીને અંગે કેવળ શરીર ને ઇદ્રિ છે. જેણે શરીર ને ઇંદ્રિયોને નાશ કર્યો તેને આત્માના સર્વરવને નાશ કર્યો. મનુષ્યને અંગે મરણ એ સમ્યકત્વનો વિઘાતક. શરીરને નાશ કર્યો તેણે સમ્યગ્દર્શન, જ્ઞાન ને ચારિત્રને નાશ કરે છે. ભાવ-પ્રાણની રક્ષા કરવાની ઈચ્છા હોય તેણે દ્રવ્ય-પ્રાણની રક્ષા કરવાની જરૂર છે. ભાવ–પ્રાણને આધાર દ્રવ્ય-પ્રાણ છે. મારનારે જ્ઞાન, દન ને ચારિત્ર આત્માનું સ્વરૂપ તેને નાશ કર્યો. પુણ્યનું ઝાડ ફળ્યું ક્યું હતું. આખું ઝાડ ઉખેડી નાખ્યું. આત્મા વધીને ટોચે ચઢેલે હ. મેરૂ પર્વતના ઉપર ચઢેલાને ધક્કો મારો એનો અર્થ છે? જુલમની બાકી નહિ. આ જીવ અણસમજુ અવસ્થામાં ગર્ભમાં આવ્યું હતું તે ચઢો એણે સમ્યગ્દર્શન, શાન ને ચારિત્ર મેળવ્યાં. તેના દ્રવ્ય-પ્રાણુને નાશ થયે ત્યારે બધાને ચૂરે થઈ ગયે. જીવની હિંસા એ મોટું નુકશાન છે. દ્રવ્ય-પ્રાણને નાશ થતાં ભાવ-પ્રાણોનો નાશ થાય છે. જીવની હિંસા એ મોટામાં મોટું પાપ છે. પુણ્યનું ઝાડ નાશ પામ્યું પ્રાણને પ્રહાર કર્યો છે. દીવે ઓલવીએ એટલે અજવાળું આપોઆપ હાલી જાય છે. તેમ પ્રાણુનો નાશ કરવાથી પુણ્યરૂપી વૃક્ષ નાશ થાય છે.
વિરમવું એટલે શું ? ટા પડવું. આખા સંઘની આબરૂ લીધી. જેલમાંથી કયારે છૂટ? એમ પૂછાય એટલે આબરૂ લીધી. તમે હિંસાથી પાછા હઠવાનું કહે છે એટલે ચોકકસ થયું કે હિંસામાં પડેલા હતા. સંઘને હિંસાખોર કહે છે! સર્વ હિંસાથી વિરમાવે છે તેથી સર્વ સર્વ પ્રકારે હિંસા કરનારા હતા એમ તમે સાબિત કર્યું. હવે ચોરી ન કરીશ