Book Title: Aarsi Tirth Aarasan
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 18
________________ આરસીતીર્થ આરાસણ ઉલ્લેખ આવે છે એટલે એ સાલમાં, કે તેથી એ સાલમાં કે એથી થોડું પૂર્વે સાંપ્રત મંદિર બની ગયું હશે. (સં૰ ૧૧૬૧નો એક બીજો પણ પબાસણ પરનો લેખ આ મંદિરમાં છે.) ૧૫મી સદીના ચૈત્યપરિપાટીકારો આ મંદિરને લોટણ પાર્શ્વનાથ નામ આપે છે. રાજસ્થાનમાં આવેલા પ્રાચીન લોટણાતીર્થના પાર્શ્વનાથના અવતારરૂપ—મહિમાસ્વરૂપ—મંદિર લેખે આ લોટણ કે લોડણ પાર્શ્વનાથના મંદિરનું નિર્માણ થયું હોય તેવો આશય આ ઉલ્લેખથી નિર્દેશિત થાય છે. કંઈ નહીં તોયે ૧૫મા શતકમાં તેવી માન્યતા હતી. ૧૩ (૪) નેમિનાથ જિનાલય આરાસણના મંદિર-સમુદાયનું કેન્દ્રવર્તી તેમ જ સૌથી વિશાલ અને ઉન્નત મંદિર તો છે નેમીશ્વરદેવનું. ખૂબ જ ઊંચેરી જગતી પર માંડેલું આ મંદિર સોલંકીકાળના ઉત્તરાર્ધથી, એના નિર્માણના વિશિષ્ટ ઇતિહાસને કારણે, ખ્યાતિ પામી ચૂકેલું છે. એની નિર્માણકથા તેમ જ પ્રતિષ્ઠાપક આચાર્ય ઇત્યાદિ વિષે માહિતી ૧૫મા શતકના જૈન સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે. જિનહર્ષગણિ કૃત વસ્તુપાલ ચરિત્ર (સં૰ ૧૪૯૭ / ઈ સ૰ ૧૪૪૧), સોમધર્મના ઉપદેશસપ્તતિ(સં. ૧૫૦૩ / ઈ. સ. ૧૪૪૭)માં, પુરાતન પ્રબંધ સંગ્રહમાંના એક પ્રબંધ (લિપિ સંવત ૧૫૨૭ / ઈ સ ૧૪૭૧)માં, અને ઉપાધ્યાય ધર્મસાગરની તપાગચ્છ પટ્ટાવલી (ઈસ્વીસનના ૧૬મા શતકનો ઉત્તરાર્ધ)માં મંદિરની સ્થાપના આદિના ઇતિહાસની પૃથક્ પૃથક્ વિગતો આપી છે. આ બધા સાહિત્યનો સાર એ છે કે આરાસણના પાસિલ નામક નિર્ધન શ્રાવકને અણહિલપાટણમાં રહેતા કરોડપતિ શ્રેષ્ઠી છાડાની વિધવા પુત્રી—શ્રાવિકા હાંસી—એ (સિદ્ધરાજ કારિત) રાજવિહાર (વિ. સં. ૧૧૮૩ / ઈ સ ૧૧૨૭)ની કોરણીને ધ્યાનપૂર્વક જોઈ રહેલો નીરખી, ટોળ કર્યો કે “આવો પ્રાસાદ બંધાવવા વિચાર કરો છો કે શું !'' ઇત્યાદિ. નિષ્કિંચન પાસિલે ઉત્તર વાળ્યો કે ધન પ્રાપ્ત થાય તો અવશ્ય જિનપ્રાસાદ કરાવું અને તેની પ્રતિષ્ઠા સમયે તમને તેડાવું. દૈવયોગે આર્થિક સ્થિતિ સારી થતાં પાસિલે આરાસણમાં નેમિનાથના પ્રાસાદની મોટી માંડણી પર રચના કરાવી. તેની પ્રતિષ્ઠા વડગચ્છીય વાદીન્દ્ર દેવસૂરિને હસ્તે સં૰ ૧૧૯૩(ઈ સ ૧૧૩૭)માં કરાવી. તે સમયે ત્યાં શ્રાવિકા હાંસી પણ ઉપસ્થિત હતી અને પોતાના સહધમીના સુકૃતના ઉત્સાહથી હર્ષિત-પ્રેરિત થઈ એણે પોતાના દ્રવ્ય વડે મંદિરની છચોકી આગળ મેઘનાદ મંડપ ઉમેર્યો. આ મંદિરનો મૂળ પ્રશસ્તિલેખ તેમ જ મૂળનાયકના પબાસણનો લેખ આજે ઉપલબ્ધ નથી. પણ અન્ય લેખો તપાસતાં તેમાં જૂનામાં જૂના સં૰ ૧૧૯૧(ઈ સ ૧૧૩૫)ના પ્રાપ્ત થાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54