SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન પ્રમાણે પિપાબાઈનું રાજ ચાલવા લાગ્યું. પુરી એક અંધેરી ને ગંડુરાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા.” આ વખતે આવી રાજ્યની વ્યવસ્થા હતી. તેને લાગ જોઈને ગુજરાતના સુલતાને દાવ લેવા માટે મેવાડમાં યુદ્ધ કરવા નક્કી કર્યું. અને પિતાની તેમજ માળવાના નવાબની બધી ફાજ બેલાવી, ઘણાજ રસાલા સાથે મેવાડ ઉપર આક્રમણ કરવા ધસી આવ્યું. અત્યારે રાણુ બુન્દી રાજ્યમાં આવેલા લૈચા નામના સ્થાનમાં રહેતા હતાં. સુલતાને પોતાની પ્રચંડ સેનાથી રાણાને ત્યાં જ ઘેરી લીધા. સુલતાનની પ્રચંડ સેના દેખી સંગ્રામસિંહના પુત્ર વિક્રમાજીત ભય પામે તે ન હતો. યવનની સેના દેખી ડરી જાય અને ચુડીઓ પહેરે તે નહોતે, પણ વીરની માફક દુશ્મને સામે દારૂણ યુદ્ધ કરવા ઉભો રહે એવો હતો. પણ સુલતાનના પ્રચંડ સૈન્યને રાણુ વિકમાજીતના સૈનીકે રેકી શક્યા નહીં. આથી રાણાજી ઘેર આફતમાં આવી પડયા. તેમના સામતે, સરદારે, અને ઈષ્ટ મિત્રોએ સહાય કરી નહીં. તેઓએ વિક્રમજીતની ભૂલનું ફળ ભોગવવા દેવા રાણાને ત્યાંજ છેડી સંગ્રામસિંહના કનિષ્ઠ પુત્ર ઉદયસિંહને લઈને ચિત્તોડની રક્ષા કરવા માટે પાટનગરમાં ચાલ્યા. ચિત્તોડને મહિમા ખરેખર ગૌરવવંતો છે. રાણાશ્રી સંગ્રામસિંહના વખતના યુદ્ધમાં અગણિત વીરાએ પોતાના દેશના રક્ષણ માટે અને ઈજત માટે સમરભૂમિમાં પડયા હતા. અને ચિત્તોડભૂમિ વીરશુન્ય થઈ ગઈ હતી. પણ જ્યારે સુલતાન સાહાદુરે ઘેરો ઘાલ્યું ત્યારે તે વીરોની ભરમમાંથી અગણિત બહાદુર ઉત્પન્ન થયા. પહેલાં જે રાજાએ મેવાડના શત્રુ ગણાતા હતા તેમના વંશના આ વખતે મહારાણા વાવજી પોતાના પૂર્વજોના મૂળસ્થાન ચિતોડની રક્ષા માટે આનંદપૂર્વક આવ્યા હતા. તેમજ બુન્દીના રાજા પાંચસો ઘોડેસ્વાર લઈને આવ્યા હતા. તદઉપરાંત બીજા પણ ઘણું રાજાઓ આવ્યા હતા. મધ્યપ્રાંતના નવાબેએ પહેલાં જે આક્રમણ કરેલાં હતાં. તે બધા કરતાં આ વખતના આક્રમણે બહુજ ભયંકર અને દારૂણ હતાં. આ ભયંકર આકમણમાં એક ચતુર યુરોપીઅન “ગોલંદાજ ” પણ ગુજરાતના સુલતાનને સહાય કરવા આવ્યો હતો. અને ભટ્ટ લેકેએ આ “ગોલંદાજ”ને ફીરંગાનને આ ૨૬. અતિ પ્રાચીનકાળમાં પોપાબાઈ નામની એક રાજપુતરાણુ હતી. તેના શાસનકાળમાં પ્રજામાં અત્યંત અરાજકતા છવાઈ ગઈ હતી. તે વખતથી રાજપુત લેક રાજ્યની ગેરવ્યવસ્થાને “પોપાબાઈનું રાજી ” કહે છે, ૨૭. અમે માત્ર એટલું કહી શકીએ છીએ કે મુસલમાનોમાં સૌથી પહેલાં બાબરે તોપને ઉપયોગ કર્યો હતો. રૂમખાં નામનો એક ગોલંદાજ તેની તપ ચલાવતું હતું. આ ૨મીખાં કોણ હતા? કર્નલ ટોડ તેને સિરિયા દેશનાં રહીશ જણાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy