SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન જૈનોની ઐતિહાસીક નોંધ (૧) સંવત ૧૦૭૦ સને ૨૦૧૩ માં મહમુદે નારદીન ઉપર ચઢાઈ કરી અને તેના મુલકને લઈ લીધો. તે વખતે એક અજાયબીની વાત એ છે કે ત્યાં મન્દિરમાંથી (દહેરાસરમાંથી) એક પથ્થર નીકળે જેને સંવત દેખવાથી ૪૦૦૦૦ વરસ પહેલાને છે એવું સાબીત થયું. (વિરવિનાદ ભા. ૧ પાનું ૬૫ ) આથી જનધર્મ અને મુર્તિપૂજા અનાદીકાળની સાબીત થાય છે. ભાણપુરાની નાલ, એ ધારાવથી છ માઈલ દક્ષિણ તરફ છે. ખાસ કરીને રાણપુરના (રાણકપુર) જૈન મંદિરે થી પ્રસિદ્ધ છે. લેક એવું કહે છે કે પ્રાચીન શહેરના સ્થાનમાં એ બનેલ છે. “નાલથી અડધે ઉર ઉપરની બાજ એક પ્રાચીન પથ્થરના બંધને થોડો ભાગ બચેલો છે. જે ત્યાં નદીની આસપાસ બંધાવી ગયા હતા. તેથી પ્રાચીન વૃક્ષોની વચમાં જન મંદિર બહુ જ શોભાયમાન દેખાય છે. (વિરવિનાદ ભાગ ૧. પણ ૧૦૭). મેંડક, કછુઆ, કર્કટ (કંકાડા અને જલસર્પ (એિ) વિગેરે અનેક પ્રકારના જંતુ હોય છે. પણ પચ્છી બહુ મહેનતે મળે છે કારણ કે અહીં દેવસ્થામાં અને અન્ય જલાશમાં મચ્છી મારવાની મનાઈ છે. ગૂંછ જાતની એક માછલી જે વેડચ અને બનાસ નદીમાં મહે છે. તે વજનમાં એક મણથી વધારે હોય છે. તેના મેંઢામાં દાંતની હાર, મોટી મૂંછ અને તેનું માથું બહુજ કઠીણ હોય છે. કોઈ પણ જીવની હિંસા કરવાની મનાઈ છે. જીવદયા અને અહિંસા પ્રત્યે કેટલું રાજાઓને માન હતું. તે આ દાખલા ઉપરથી સમજાશે. (વીરવિનેદ ભા. ૧ લા પુષ્ટ ૧૧૭) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy