SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ભારાણા શ્રી અમરસિંહ રાજસ્થાનના બીજા નંબરના વિસ્તૃત રાજ્ય મારવાડમાં પણ જ્યારે આ કરની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે અમરસિંહ રાણાના જાણવામાં આ વાત આવી હતી અને તેથી તેઓ અત્યંત ક્રોધીત થયા, સંધીના કરારનો ભંગ કરવાને માટે મારવાડના રાજા અજિતસિંહને ફર કરવામાં આવ્યા પરંતુ તેથી રાણા અમરસિંહ લેશ માત્ર પણ હતાશ થયા ન હતા. તેઓ પોતાના જ બળ ઉપર અને પરાક્રમ ઉપર જ આધાર રાખવા લાગ્યા. તેઓએ સમસ્ત રાજપૂત જાતિની સ્વાધીનતા પ્રાપ્ત કરવા માટે દઢ પ્રતિજ્ઞા કરી રાણાજી કેવા ચાતુર્ય અને ઉત્સાહથી પોતાને સંક૯પ સિદ્ધ કરવાને પ્રવૃત્ત થયા હતા. તેનું વિશીષ્ટ પ્રમાણ ઉપલબ્ધ થાય છે, એક સંધી–પત્ર આનું પ્રમાણ છે. તે સંધીપત્રને તેઓએ પ્રાર્થના-પત્રના નામથી પ્રસિદ્ધ કર્યું હતું. ૪૭. જયાવેરાની સ્થાપના થયા પૂર્વે દીર્ધકાળ પર જે “મા” (સ્પાપકર) લેવામાં આવતો હતો, જ્યારે સંગ્રામસિંહ ઉપર બાબરે પ્રાપ્તી કરી ત્યારે હિન્દુઓ પર આ કર લગાવ્યા હતા, જે કે આ કર જજીયાવેરાના જેવો સખ્ત નહતો, પણ હિન્દુ લોકોને હદયમાં એથી વિશેષ દેષ ઉત્પન્ન થયો હતો. આ સંધીપત્ર-પ્રાર્થના-પત્રના નામથી પ્રસિદ્ધ થયું છે તે નિચે મુજબ છે. ૧. સાત સહસ્ત્ર સ્વારોની મુનસફદારી અમને આપવી. પાદશાહના હાથના પંજાવાળા પ્રમાણપત્રથી એવી પ્રતિજ્ઞા સિદ્ધ થાય છે કે હવે પછી જયારે રદ બાતલ કરવામાં આવશે અને પુન; કદી પણ સ્થાપના કરવામાં આવશે નહીં. માટે કોઈપણ પ્રકારે આ કર મેવાડમાંથી લે નહિં અને તેને એકદમ રદ કરો. દક્ષિણના માટે એક હજાર રાઠે સ્વારની સહાય લેવામાં આવે છે તે પણ માફ કરવી. મુસલમાનેએ હિન્દુઓના તેમજ જૈનેના ધર્મ મંદિર તોડી નાંખ્યા છે. તે પુનઃ બંધાવી આપવા અને હિન્દુઓને સ્વતંત્રતા પૂર્વક ધર્મચર્ચા કરવા દેવી. ૫. મહારા મામા, કાકા, ભ્રાતા અથવા સરદારે યદિ આપની પાસે આવે તે તેમને કોઈપણ પ્રકારને આશરો આપો નહીં તેમજ ઉત્તેજન આપવું નહિં. દેવલ, વાંસવાડા, ડુંગરપુર, સિરોહી તથા અન્યન્ય ભૂમિપતિઓની ઉપર અમારું “આધિપત્ય' રહે, તેઓ બારોબાર આપની મુલાકાત કરી શકે નહીં. અને મારી મારફત જ તેમની મુલાકાત થવી જોઈએ. મારી પાસે જે ફેજ છે તે સરદારની છે. પાદશાહને જ્યારે આવશ્યકતા પડે ત્યારે નિયત સમયને માટે તે આપવામાં આવશે, જ્યાં સુધી અમારી સેના પાદશાહને સહાય કરવા રહેશે ત્યાં સુધી તેને પગાર પાદશાહને આપવો પડશે અને કાર્ય સમાપ્ત થતાં તેને સર્વ હિસાબ ચૂક્યી દેવો જોઈએ. મારા જે હક્કદાર, જમીનદાર, મુનસફદાર, પ્રસૂતિ અને સરદારે અંતઃકરણ પૂર્વક અને ઉત્સાહથી પાદશાહની સેવા કરે છે તેમની સૂચી મારા પર મોકલી આપવી અને જે સરદાર પદક્ષાહની આજ્ઞા માન્ય નહીં કરે તેને હું દંડ કરીશ પરંતુ મારા ૨૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy