SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ર મેવાડના અમેણાલ જવાહિર યાને આત્મબલિદાન પાદશાહ ફર્ખશીયર મહાશય હોમીલ્ટનને ખરે સ્વદેશાનુરાગ તથા સ્વાર્થ ત્યાગ જોઈ અત્યંત વિસ્મિત થતો હતે. જે હેમીલ્ટન ધારત તે તે અઢળક ધન પ્રાપ્ત કરી શકત પરંતુ તેને પોતાના તુચ્છ સ્વાર્થ ત્યાગ કરી પિતાના સ્વદેશ બંધું પર જે પરોપકાર કર્યો હતો. તેને ઉચિત બદલે તે તેને મલ્યો નહિં. - જે હોમીલ્ટનના અસીમ મહાત્મય અને સ્વાર્થ ત્યાગને લીધે ભારત વર્ષમાં આજે બ્રિટિશસિંહોનું અખંડ પ્રભુત્વ છે. તેને પિતાના સ્વદેશ બંધુઓ તરફથી શું બદલ મ હતું ? કંઈ જ નહીં. શોકની વાત તે એ છે કે જે દિવસે ઉક્ત મહાત્માનું જીવન રૂપી પક્ષી તેના પવિત્ર દેહમાંથી ઉડી ગયું તે દિવસે તે મૃત શરીરને કલકત્તાના એક સાધારણ કબ્રસ્તાનમાં કઈ પણ દબદબા વગર દાટવામાં આવ્યું. ઉક્ત નિર્જન સ્મશાન ક્ષેત્રમાં તે મહાન બ્રિટિશને પવિત્ર દેહ પંચભૂતેમાં લીન થઈ ગયો પરંતુ કેઈએ તેમના પ્રત્યે લાગણી દર્શાવી નહિં. જ્યારે મારવાડની રાજકુમારી સાથે સમ્રાટને વિવાહ થયો હતો ત્યારે સર્વ લોકેએ ધાર્યું હતું કે રાજપુત સાથે સાથે વહેવારે રાખશે પરંતુ તેમની તે ઈચછા ફળીભૂત થઈનહિં આ વિવાહ થયા પછી થોડા દિવસમાં જ ફરૂંખશીયરે જયાવેરાની પુન:સ્થાપના કરી હતી. પણ ઔરંગઝેબે આ જયાવેરા વસુલ કરવામાં જેવી કઠોરતા નિચપણું વાપર્યું હતું તેવું ફરૂખશીયરે કર્યું નહતું પરંતુ હિંદુ કે તે જજીયારાનું નામ સાંભળતાંજ પુન:ક્રોધથી ઉન્મત્ત બની ગયા હતા. અને મેગલો ઉપર તેમનો જે થોડે ઘણે અનુરાગ હતો તે આ જજીયાપરાની સ્થાપનાથી નાશ પામ્યો હતો. તેઓ યથાર્થપણે સમજી ગયા કે મોગલો કદિ હિંદુઓનું કલ્યાણ કરી શકનાર નથી અને તેઓ હિંદુઓ ઉપર અત્યાચાર કર્યા વિના કદિ પણ રહેનાર નથી. ઉક્ત સૈયદ ભ્રાતાઓનું સામર્થ્ય હરણ કરવાને માટે ક્ષીણ હૃદય ફખશીયરે ઔરંગઝેબના વઝીર ઈનાયત કરવામાં ને પિતાને દિવાન બનાવ્યો હતો. કહેવાય છે કે આ દિવાન દેશકાળ અને પાત્રાપાત્રને વિચાર કર્યા વીના હિંદુ પ્રજા૫ર કઠોર અત્યાચાર કરવા લાગ્યો. આ નવા દિવાનની નીમણુંક થતાંની સાથેજ પુનઃજજીયાવેરાની સ્થાપના થઈ હતી. અદ્યાપિ આ કર પ્રતિવર્ષની ઉપજ ઉપર ઘણોજ ઓછા લેવામાં આવતું હતું. અદ્યાપિ લૂલાં લંગડાં દીન તથા દરિદ્ધિ લેખકોને આ કરમાંથી મુકત કરવામાં આવ્યા હતા. તદાપિ આ કર કાફિરોની પાસેથી લેવામાં આવતો હોવાથી હિંદુઓને ઘણું ખોટું લાગ્યું આ દુનિયામાં એ કોણ મનુષ્ય છે કે જે અન્યાય પૂર્વક લેવામાં આવતે કર ખુશીથી આપે? હિંદુઓ પિતાના રાજાને દેવ માને છે. પરંતુ જયાવેરાથી પીડીત થઈ પાદશાહને હવે પીશાચ ગણવા લાગ્યા. આ અત્યાચારનું આ વૃત્તાંત સાંભળી આપણે ખંભિત થઈ જઈએ છીએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy