SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાણા પ્રતાપની પાછળ માનસિંહ કુમ્ભલમેરના કિલ્લાની ફતેહ સં. ૧૬૦૫ ના અષાઢ વદ ૦)) અને ઈ. સને ૧૫૭૮ તા. ૩ જુનને દિવસે થઈ હતી. આ કિલ્લે વિ. સંવત ૧૫૦૯ માં બનાવ્યું હતું. અને આજ સુધી તે કિલ્લા ઉપર કઈ પણ દુશ્મનને કબજે નહોતે. શાહબાજ ખાં કિલા પર બરાબર બંદોબસ્ત કરી પિતે ગુદાના કિલ્લા પર રવાના થયે. મહારાણા પ્રતાપ પિતાની ટેકમાં અડગ નિશ્ચયી હતા. વળી તેઓ જે રાજપુતએ બાદશાહની સાથે બેન બેટીઓ આપી હતી. તેમની સાથેનો સંબંધ પણ ત્યાગ કર્યો હતો તે સર્વને અડગ રીતે નિભાવી રહ્યા હતા. મહારાણા પ્રતાપને બાદશાહ અકબરે ઘણુ વખત સંધીનું કહેણ મોકલ્યું હતું, પણ રાણાજીએ તેનો જવાબ સૂર્યવંશી રાજપુતને શોભે તે જ આ હતે, “મુગલ લુટારૂઓ સાથે સંધી થઈ શકે જ નહીં. સૂર્યવંશી પિતાના બાહુ બળ ઉપર ઝઝુમે છે. અને પોતાને પોતાના દેશના બાંધવ મેવાડી પર સંપૂર્ણ ભરૂસે છે. પિતાની માતૃભૂમિની પરાધિનતાના ખપ્પરમાં રાણાજીને કઈ પણ માણસ હેમી શકવા તૈયાર નથી. બાદશાહ અકબર પાસે અગણિત સૈન્ય હતું, લક્ષ્મી પણ હતી, અને દરેક જાતના સાધને તેની પાસે મોજુદ હતા. ત્યારે રાણા પ્રતાપ પાસે કેવળ પોતાના આત્મબળ અને પોતાની ભુજા બળ પર સંપૂર્ણ જરૂસ હતા. અને કઈ પણ રીતે પોતે કોઈ પણ જાતની લાલચને વશ થઈને પિતાની ટેક તજે તેમ નહતા. આ સ્થિતિમાં ક્યા હિન્દવાસીને પ્રતાપ માટે માન ન ઉપજે ? આ પ્રમાણે પ્રતાપની પ્રશંશા શત્રુઓના લખેલા ગ્રંમાં પણ ઘણા ઉચ્ચ ભાવથી કરેલી છે. જયારે પ્રતાપને ચિત્તોડનું મરણ થઈ આવતું. ત્યારે પિતાની જાત પર તેને ઘણેજ ક્રોધ અને આઘાત થયો હતો. પણ જેવી ભાવીની મરજી ” તેમ માની આત્માને સંતોષ આપતો હતું પરંતુ પ્રતાપ પિતાના આત્માને સંતોષ આપી શક્યો જ નહીં એટલે તેને એક ભયંકર પ્રતિજ્ઞા કરવાનો વિચાર કર્યો, અને તે પ્રતિજ્ઞા પણ જેવી તેવી નહીં પણ આકરી અને ત્યાગની હતી. આ વખતે રાણા પ્રતાપે બધા પોતાના શૂરવીર સામંતો અને સરદારે તથા પટાવતોને માટે દરબાર ભર્યો અને પૂરોહિતજીને લાવ્યા. અને પિતે પિતાના આસન ઉપર બિરાજમાન થયા અને બોલ્યા કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy