SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ મેવાડના અણમલ જવાહિર યાને આત્મબલિશન તરફ ઘણા યવન સરદારની સાથે ફેજ મોકલી. ઈડરની સરહદ ઉપર રાણા પ્રતાપસિંહ અને રાવ નારાયણદાસે મુકાબલે કર્યો, યવન જ ઘણું જ કપાઈ ગઈ તેમજ રાણાની ફેજ પણ ઘણી લડાઈમાં કામ આવી ગઈ આખરે બાદશાહે ઈડર કબજે કર્યું.. મેવાડમાં ભાદશાહ અકબરે “ગંદા થી વાંસવાડા તરફ કુચ કરી ત્યાં વાંસવાડા” ના રાવલ પ્રતાપસિંહ અને ‘ ડુંગરપુર” ના રાવલ આશકરણ પહેલીવાર રાજા ભગવાનદાસની સાથે બાદશાહની હજુરમાં હાજર થયા, અને બાદશાહ પિતાના થાણુ તે તરફ જમાવી આગળ વધ્યા. * વિક્રમ સં. ૧૬૩૫ ઈ. સ. ૧૫૭૮ ના માર્ચ માસમાં બાદશાહ અકબર મટી ફ્રજની સાથે શાહબાજખાને મેવાડમાં કુમ્ભલમેરના કિલ્લા તરફ રવાના કર્યો ત્યારે શાહબાજખાં ને શક પેદા થયે કે રાજા ભગવાનદાસ અને કુંવર માનસિંહ સાથે હોવાથી તેમજ તેઓ રજપુત હોવાથી અંદર અંદર સલાહ કરી શાહી ફેજને ફસાવશે. તેથી તે બંને જણને બાદશાહી ફ્રિજમાં રવાના ર્યો અને પોતાની સાથે બહેરમખાંના બેટા મિખાં (૩૩ખાનખાનાન) અને સરીખાં વિગેરેને સાથે લીધાં, મહારાણા પ્રતાપસિંહ આ વખતે કિલ્લા પર મજુદ હતા રાજપુત લેક પહાડની ઘાટીમાં હુમલા કરવા લાગ્યા હતા. એક વખત મેવાડીઓએ રાતના હલ કરી શાહના ચાર હાથી કબજે કર્યા, અને રાણાજીને નજર કર્યા પછી શાહી ફેજના કિલે પર નાકાબંધી કરી રસ્તે રિકી રાખ્યું. ત્યારે રાષ્ટ્રને અરજ કરી કે આપણે કિલ્લામાં સારી રીતે લડી શકીશું. માટે આપ જે મરી જશે તે મેવાડની લાજ રાખે તે કઈ નહીં રહે. આ પ્રમાણે રાણું પ્રતાપને સમજાવી બહાર જવાને તૈયાર કર્યા. અને કિલ્લામાં અજ્ઞયરાજના બેટા ભાણુને કિલેદાર બનાવ્યા, મહારાણા કિલામાંથી નીકળી રાણપુર આવીને કાયા. અને ત્યાંથી રવાના થઈને ઈડર તરફ ચૂલીઆ” ગામમાં પહેંચ્યા. આખરે બાદશાહી ફેજે કિલા પર ઘણી જુલમાટ ભર્યું આક્રમણ કર્યું, અને ઘણું યવને ને રજપૂતો માર્યા ગયા. છેવટે શાહબાજખાંની જે દરવાજાના કિલ્લા પર ચઢી દરવાજાના કમાડ ઉઘાડી નાંખ્યા. અને હજાશે વીર રાજપુતોએ મેવાડની સ્વતંત્રતા ખાતર પોતાના પ્રાણના બળીદાન આપ્યા. અને શાહબાજખોએ ફતેહની સાથે કુલમેરને કિલે કબજે કર્યો. અને બાદશાહી ઝંડે કાયમ કર્યો. ૩૩. બહેરમખાંના પુત્ર મીરજાખાને “ખાનખાનાન” ની પદવી મળી હતીઆ પદવી અતિ ઉચ્ચ કેટીની ગણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy