SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ મને એમજ ચાર અને અલ્લા તરફ કોબીમા. (૮૫) બહુ જ ખેદ થયે. “ખરેખર શું ભાવી નિર્માણ થયું હશે ? કાંઈ સમજાતું નથી.” આ જ પ્રમાણે ભિક્ષા માટે નગરમાં ફરતાં ફરતાં એ મહાત્માને એમજ ચાર માસનાં વહાણાં વહે ગયાં છતાં પણ બાવીશ પરીષહ સહન કરતા અને અપ્લાનપણે તે નગરમાં શિક્ષાને માટે હમેશાં ફરતા હતા. એક દિવસ એ નરણ ગોચરીને માટે ફરતાં રાજાના સુગુપ્ત નામના મંત્રીને ગૃહે ગયા. આ મહાન પુરૂષને પિતાનું ગરીબ આંગણું પાવન કરતાં જોઈ મહા અમાત્યની નંદા નામની પત્ની પરમ સુશીલ. અને ગુણવતી હતી તે એકદમ હર્ષથી બહાર દેડી આવી. “ભગવન્! પધારે! પધારે! મારું રંકનું આંગણું પાવન કરો! નિર્દોષ ભિક્ષા આપ પૂજ્ય ગ્રહણ કરે!” વિનયથી ભક્તિયુક્ત વચને બેલતી નંદા ભગવાનને ઉત્તમ પદાર્થો વિહરાવવા લાગી; પણ ભગવાનને અભિગ્રહ હોવાથી કંઈ પણ લીધા વગર ત્યાંથી પાછા ફર્યા. ભિક્ષા લીધા વગર આ નરપ્રેક ચાલ્યા ગયા જાણ નંદા આનંદ રહિત મંદ હૃદયવાળી થઈ ગઈ. એને પારાવાર ખેદ થયો. “અરે હું અભાગણું છું. મને ધિક્કાર છે! ભાગવાન મારે ઘેરથી પાછા ફર્યા. હા!મારા ક્યા પાપ ઉદય આવ્યા કે જેથી મારે મનોરથ આજે પૂર્ણ થયે નહિ !” વલોપાત કરતી નંદા રડી પી.એની આંખમાંથી અશ્રુઓ ટપકવા લાગ્યાં. નંદાને પારાવાર ખેદ કરતી જોઈ તેની દાસી બેલી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034545
Book TitleMahavir Ane Shrenik
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy