SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) મહાવીર અને શ્રેણિક મુહૂર્ત કાલ સુધી તેનાં દલીયાં પ્રદેશથી પણ ન વેદવા પડે. તેવું અન્ડરકરણ કરે છે. મિથ્યાત્વની અંતર્મુહૂર્ત સ્થિતિ ભેગવીને બીજી ઉપશમ કરેલી સ્થિતિમાં અંતરકરણના પ્રથમ સમયે જીવ સમ્યક્ત્વ પામે છે. મધ્યના અંતર્મુહુતમાં જે સમકિત પ્રાપ્ત થાય છે તે સમ્યકત્વ શ્રદ્ધાવાળુ નિસર્ગ સમકિત કહેવાય છે. ગુરૂના ઉપદેશથી સમ્યકત્ર થાય છે તે અધિગમ સમક્તિ કહેવાય છે. એ સમ્યક્ત્વ શ્રાવકને બળાત્કાર પણ આપવામાં આવે છે, કારણ કે સમ્યકત્વ પામેલે પુદગલપરાવર્તન અંદર મેક્ષ જઈ શકે છે. જ્ઞાન અને ચારિત્ર વગરનું એકલું સમકિત પ્રશંસાપાત્ર છે પણ સમકિત વગરનાં જ્ઞાન અને ચારિત્ર તે વખાણવા યોગ્ય નથી જ. એ સમક્તિ ત્રણ પ્રકારે છે. ઔપશમિક, પશમિક ક્ષાયિક દર્શન મેહનીયની ત્રણ પ્રકૃતિ અને ચારિત્રમોહનીયની ચાર પ્રકૃતિ આ સાતે પ્રકતિને ક્ષય ઉપશમ કે ક્ષાપશમ થાય ત્યારે તથા પ્રકારનું સમ્યત્વ થાય છે. ભમથી આચ્છાદન કરેલા અગ્નિની જેમ મિથ્યાત્વમોહની અને અનંતાનુબંધીની ચોકડીને ઉપશમ કરવાથી થાય તે ઉપશમ સમક્તિ કહેવાય છે. આ સમક્તિ અનાદી મિથ્યાષ્ટિ જીવને પૂર્વનાં ત્રણ કરણ કરવાવડે કરીને અન્તર્મુહૂર્તની સ્થિતિવાળું હોય છે અને તે ચારે ગતિના જ પામી શકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034545
Book TitleMahavir Ane Shrenik
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy