SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાનની દેશના. (૧૯૫) આવે તે દર્શન કહેવાય છે, પણ જૈન શાસનમાં સત્ય દેવ, ગુરૂ અને ધર્મની ઓળખાણ તેને સમ્યગ્દર્શન કહેલું છે. એ સમકિત સહિત કરેલી ક્રિયાઓ ફળવતી થાય છે. મોક્ષમાર્ગને આપનારી થાય છે, જ્યારે સંમતિ વગરની ગમે તેટલી વ્રત-જપ-તપાદિક ક્રિયા કરવામાં આવે છતાં સાંસારિક ફળ સિવાય તેનું બીજું કાંઈ ફલ નથી. સંસારિક પણ અલ્પ ફળ મળે છે. માટે સમકિત પ્રાણીને અતિ ઉપગી અને અતિ મહત્વની વસ્તુ છે. તીર્થંકરએ કહેલા વચને ઉપર જે રૂચિ જે શ્રદ્ધા તે જ સમક્તિ કહેવાય છે. એ સમતિ સ્વભાવથી અથવા તે ગુરૂના ઉપદેશથી પણ થાય છે. સંસારમાં અનાદિકાળથી જીવ જન્મ-મરણ કરે છે એ જન્મ-મરણ કરતાં ભવ્યત્વપણાના સ્વભાવને લીધે પર્વત પરથી નદીમાં પડેલા પાષાણના ન્યાયે અનાગપણથી યથાપ્રવૃત્તિકરણ કરે છે. એ યથાપ્રવૃત્તિકરણ કરતાં અધ્યવસાય વિશેષ કરીને આયુષ્ય સિવાય સાતે કર્મોની એક પામના અસંખ્યાતમા ભાગે ન્યુન એક સાગરોપમ કેટાનકેટીની સ્થિતિ કરે છે. આ પ્રથમ કરણ અભવ્ય પણ અનંતીવાર કરી શકે છે, પણ એ અભવ્ય પ્રથમ કરણ પાસે આવીને પાછા આગળ ચાલ્યા જાય છે, જ્યારે ભવી જીવે ગ્રન્થીને ભેદ કરી બીજું કારણ કરે છે. એ બીજું કારણ કરીને મિથ્યાત્વની સ્થિતિ અંતઃકટોકટી સાગરોપમની કરે છે. તેમાંથી અન્તShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034545
Book TitleMahavir Ane Shrenik
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy