SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ સમ્રાટ અક્બર રવાની અનેક મનુષ્યા વાતા કરે છે; પરંતુ તે ભારતવર્ષને કેવી રીતે સુધારવા માગે છે તે હું સમજી શકતા નથી. જો કે રાજ્યશાસનસબંધે તેઓ પછાત છે, પણુ જે ઉત્તમ કૃષિપ્રણાલિ, અપૂર્વ શિલ્પ, ઉન્નત પાઠશાળાઓ તથા યા, આતિથ્ય અને સ્ત્રીસન્માનને સુધારાનાં લક્ષણા કહેવામાં આવે તેા મારે જણાવવું જોઇએ કે હિંદુ યુોપની સભ્ય જાતિની અપેક્ષાએ ક્રાઇ પણ અંશે નિકૃષ્ટ નથી. ” ખીશપ હીબાર સાહેબે પણ એજ પ્રકારે હિંદુઓની પ્રશંસા કરી છે. મૅજર જનરલ સ્વીમેન સાહેબે લખ્યું છે કેઃ “ હિંદીઓના જેવી પિતૃભકિતવાળી, પિતૃઆજ્ઞાપાલક તથા માતા-પિતાનું સન્માન કરનારી જાતિ પૃથ્વીમાં અન્ય કાઇ નથી. હિંદુ પોતાની જન્મદાત્રી માતા કરતાં પણ પિતાની માતાનું અધિક સન્માન કરે છે. હું ભારતની ખેડુત પ્રજાને અંતઃકરણપૂર્વક ચાહું છુ. મને જે ઉત્કૃષ્ટ વ્યક્તિઓના પરિચય થયા છે, તેમાંની અનેક વ્યક્તિએ આ ખેડુતવર્ગ માંથીજ મળી આવી છે. મને એવા સેકડા અને દ્વારા પ્રસ ંગાનેા અનુભવ થયા છે કે હિંદુ જો લેશમાત્ર અસત્ય ખેલે તા તેમની સ`પત્તિ, સ્વાધીનતા તથા જીવન પણ ખેંચી જાય; પરંતુ તે અસત્ય ખેલવાને કદાપિ તૈયાર થયા નથી.” માલેસન સાહેબ લખે છે કેઃ– માગલ ઐતિહાસિકાની આ વાતને હું સંપૂર્ણ અનુમેદન આપું છું, કે રાજપૂતાજ સમ્રાટના સિંહાસનના અવલંબનરૂપ તથા અલંકારરૂપ હતા. ” અક્સેસ ! હિં'દુના એ ગૈારવસૂર્ય આજે અજ્ઞાનના રાહુગ્રાસથી લુપ્તપ્રાય થઈ ગયા છે ! "" "3 नवम अध्याय - चितोड अने राजस्थान “રાજાએ સદા લશ્કરી તૈયારી રાખવી જોઇએ, નહિ તા તેના પાડેાશીએ શસ્ત્ર લઇને તેની ઉપર ચઢી આવશે.” અમ્મર દીદી સમ્રાટ અકબરે જે ઉદ્યાનનાં શ્રેષ્ઠતમ કુસુમેા એકત્ર કરીને પેાતાનું સિહાસન અલંકૃત કર્યું હતુ. અને જે ઉદ્યાનની કુસુમમાળાઓને પાતે કંઠમાં ધારણ કરી હતી, એટલુંજ નહિ પણ જે કુસુમમાળાઓ સ્વયં સમ્રાટને પરિતૃપ્ત કરવા ઉપરાંત સમસ્ત પૃથ્વીને સૌંદર્યમય તથા સુગંધમય બનાવવાને સમય થઈ હતી, તે ઉદ્યાન કર્યુ ? એવા પ્રશ્ન ાઈ કરે તેા અમે માત્ર ભારતીય વીરત્વના લીલાક્ષેત્ર સમાન “ રાજસ્થાન ' તરક અ'ગુલિનિર્દેશ કરીશું. મેવાડ એ રાજસ્થાનનું સવપ્રધાન રાજ્ય હતું. ચિતા એ ત્યાંની મુખ્ય રાજધાનીતરીકે તથા અચળ દુર્ગં તરીકે ઇતિહાસપ્રસિદ્ધ છે. ચિતાડના અધીશ્વરા “મહારાણા”ની ઉપાધિથી વિભૂષિત હતા અને સન્માનમાં તે રાજસ્થાનમાં સર્વોપરિ હતા. ,, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy