SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્રાટ અકબર બહુજ સન્માનપૂર્વક ફૈઝીને સત્કાર કર્યો અને તે જ ક્ષણે તે કવિવરને સમ્રાટ પાસે હાજર કર્યો. મૌલવીઓ પોતાના ઉદ્દેશમાં નિરાશ થઈ ત્યાંથી ચાલ્યા ગયા. સમ્રાટે ઊંઝીની સાથે વાર્તાલાપ કરી પિતાને સંતોષ પ્રદર્શિત કર્યો. તે સમયથી જ ઝી સમ્રાટને અનુરાગી અને સહચર બને. થોડા જ સમયમાં દરબાર મળે તેની એક અતિ ઉજજવળ રત્નતરીકે ગણત્રી થવા લાગી. કૈકી જે બુદ્ધિમાન હતો તે જ ઉદાર વિચારને હતો. પિતાના હૃદયની ઉદારતાદ્વારા તે સમ્રાટની ઉદારતાને પિષણ આપી ઉત્તેજીત કરવા લાગે. તે કવિવર ખુશરૂની પછી ભારતને એક સર્વપ્રધાન મુસલમાન કવિ હતે. ખુશરૂને પ્રથમ નંબર આપીએ તે ઊંઝીને બીજે નંબર આપ્યા વિના ચાલે નહિ. તેણે અનેક નાનાં કાવ્યો તથા ખંડકાવ્ય લખ્યાં છે. સમ્રાટે તેને “કવિરાજ'ની ઉપાધિથી વિભૂષિત કર્યો હતે. તેને નાનો ભાઈ અબુલ ફઝલ પણ મહા પંડિત હતા. તેણે લધુવયમાં અનેક વિષયેનો બહુ સારી રીતે અભ્યાસ કર્યો હતો. દર્શનશાસ્ત્રમાં તે ખાસ કરીને તેણે નિપુણતા પ્રાપ્ત કરી હતી. અબુલ ફઝલના સદ્દગુણે સાંભળી સ્વાભાવિક રીતે જ સમ્રાટને તેને મળવાની ઈચ્છા થઈ. સમ્રાટે પુનઃ પુનઃ નિમંત્રણ મોકલી દરબારમાં હાજર થવાની તેને સૂચના આપી; પણ અબુલલફઝલે એ નિમંત્રણ માનપૂર્વક પાછાં કહાડ્યાં. છેવટે ફૈઝીએ તેને સમજાવી ઈ. સ. ૧૫૭૪માં સમ્રાટની પાસે હાજર કર્યો. પ્રથમ દિવસેજ સમ્રાટે તેના પ્રત્યે એટલી તો પ્રીતિ અને જનતા દર્શાવી કે એ અભ્યાસપ્રિય, એકતિશીલ વિચારક યુવક-અબુલ ફઝલ તેજ ક્ષણથી સમ્રાટને અનુરાગી બની ગયું અને પિતાના પૂર્વના વિચારોને તિલાંજલિ આપી રાજનીતિના ક્ષેત્રમાં વિચરણ કરવાને તત્પર થયો. અબુલ ફઝલ લખે છે કે – “ નિર્જન આવાસમાં રહી જીવન વ્યતીત કરવું એ મારો પ્રથમ સંકલ્પ હતું. મારું મન તે સમયે બહુજ અશાંત રહેતું હતું. મંગેલીયા અને લેબેનનના ઉદાસીન સંપ્રદાયોને સહવાસ કરવાની એવી તે પ્રબળ ભાવના તે કાળે મારામાં વર્તતી હતી કે તે સિવાય મને અન્ય એક પણ વિષયમાં રસ પડત નહે. તીબેટમાં જઈ ત્યાંના બૌદ્ધ ધર્મગુરુ લામાનાં દર્શન કરવાં, પર્ટુગાલના ક્રિશ્ચિયન પાદરીઓને ઉપદેશ સાંભળ, પારસી ધર્મના પુરોહિત સાથે વાર્તાલાપ કરવો તથા તેમના ધાર્મિક ગ્રંથનું રહસ્ય સમજવું, એજ એકમાત્ર મારા અંતઃકરણને મનોરથ હતું. હું મારા સ્વદેશના પંડિતનામધારીઓના પાંડિત્યથી છેક નિરાશજ થઈ ગયો હતો. મારા વડીલ બંધુ તથા અન્ય અન્ય બંધુઓ સમ્રાટના દરબારમાં હાજર થવાની મને વારંવાર ભલામણો કરવા લાગ્યા. તેઓ એમ સમજતા હશે કે અકબર મને કાંઈક માર્ગ બતાવી શકશે, પણ મને તેમાં કોઈ યથાર્થતા જેવું જણાતું નહિ. હવે હું સમજી શકું છું કે અકબરનાં દર્શનમાં મેં આટલે બધે વિલંબ કર્યો તે અયોગ્ય જ હત–મારા બંધુ તથા સંબંધીઓની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy