SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ 33 વતી પોતાના પિતાની પાસે રહીનેજ વીતાવતી. એટલા માટે-પેાતાને એકાંત મળે માટે—સરદારે એક યુક્તિ કરી. તે ખેલ્યા “ પ્રિયપુત્રી ! તારા સમય અહીં અત્યંત આનંદમાં જતા હશે નહીં પ્રભા ? ખરેખર તમારા જેવા તરૂણાને આવીજ રીતે હંમેશાં સ્થળાંતરની જરૂર છે. આપણા કિલ્લામાંથી આપણે અહીં આવ્યા પછી મને પણ ઠીક લાગે છે. આજ સુધીમાં આ અજયદુર્ગની જે કીર્તિ મારા સાંભળવામાં આવી હતી તે યાગ્યજ છે, એમ મને લાગે છે. અહીંના સંગ્રહાલયમાં જુદી જુદી જાતના જે અદ્વતીય અને લેાકેાત્તર પદાર્થો છે તે જોઇ તેના સંગ્રહ કરનારની ચતુરાઇ અને ઉચ્ચ શાખની તારીફ કરવી પડે છે અને તેજ પદાર્થો તેની સાક્ષી પૂરે છે. ke ખરેખર તે પુરૂષ વિદ્વાન અને હાંસીલે હવા જેએ. ” લલિતે કહ્યું. બરાબર છે. પણ પ્રભા ! તું અહીં આવી ત્યાર પછી કાઇ વખતે પેલી તરનું નયનાલ્હાદક વનસાંદર્ય જોવા ગઇ હતી કે નહીં ?' ના છુ, પણ આજે અમે ત્રણે જણા તે તરફ જવાને વિચાર કરીએ છીએ. પણ પિતાજી, આપ અમારી સાથે આવશે! કે ? '' "6 ' r ના પુત્રી. રાજધાનીમાં મોકલેલા પત્રાના પ્રત્યુત્તરા આવવાની હું રાહુ બેઉં છું. મેં મેકલેલા પત્રાના પ્રત્યુત્તર નહિ આવે ત્યાં સુધી મને ચેન પડે તેમ નથી. ઘણા ભાગે આજ સાંજ સુધી મારા તમામ પત્રાના પ્રત્યુત્તર આવી જવા જોઇએ. આપણે આ દુર્ગમાં આવી રહ્યા છીએ, એ જાણતાંજ રનગઢના સરદાર મને અહીં મળવા માટે આવવાના છે. મારે કામ જ છે તેથી હું આવી શકું તેમ નથી અને તેટલા માટે તમારા આનંદમાં ભંગ થાય તે પણ મને પસંદ નથી. માટે તમે ત્રણે જણ બપોર પછી જજો. મને તે વિશ્વાસ છે કે તમે તે પર્વતનીશાભા અને વનશ્રીનું સૌંદર્ય જોઇ પરમાનંદ પામશે. ત્યાર પછી તે વનશ્રીની શાભાને સૃષ્ટિદેવીના અનુપમ સાંદર્યના એક અનુપમ વિલાસમદિર તરીકેજ આળખશેા. માટે તમે સુખેથી જજો. આમ કહી સરદાર ત્યાંથી બીજી તરફ ચાલ્યા ગયા. ચંદ્ર અને લલિતે અપાર થયા પછી સૃષ્ટિમૈર્ય જોઇ આવવાનું નક્કી કર્યુ અને બીજે દિવસે પ્રભાવતીને લઇ જવાના વિચાર રાખ્યા. તેજ દિવસે ઠરાવેલા વિચાર પ્રમાણે બન્ને જણા-ચંદ્ર અને લલિત શિકાર કરવા તેમજ વનશ્રીના સૌંદર્યને જોવા માટે નિકળી પડયા. તેઓએ પેાતાની સાથે બે હથિયારબંધ સિપાઇએ લઇ લીધા. થાડાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034539
Book TitleLalitprabha Yane Ranvir Rajputono Rajyarang
Original Sutra AuthorN/A
AuthorUdaychand Lalchand Pandit
PublisherUdaychand Lalchand Pandit
Publication Year
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy