SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૭ અન્તર્ભાવાલંકાર. ઉદ્દીપનતાને માટે સખીએ ચન્દ્રને અને પથી કહ્યો છે. ધ્યાને દંપતીભાવ સંક્ષે માય એટલે અભિપ્રાય. પ્રાચીન ભાવને અલંકારાન્તર માને છે. મહારાજા ભેજ આ લક્ષણ ઉદાહરણ આપે છે – अभिप्रायानुकूल्यन प्रवृत्तिर्भाव उच्यते । सोद्भेदोऽथ निरुभ्देदश्चैकतश्चाभितश्च सः અભિપ્રાયના અનુકૂલ જે પ્રવૃત્તિ અર્થાત્ આચરણ તેને માત્ર અલંકાર કહે છે. તેથી તે અર્થાત્ પ્રકાશ સહિત અને નિઃ અર્થાત્ પ્રકાશ રહિત હોય છે. અને એ પાર અર્થાત્ એક તરફથી અને ગામતર અર્થાત્ સર્વ તરફથી થાય છે. યથા. છે સુંદરી સર્વિગ અતિ, ક્ષેત્રપાલિકા નારી, પરહરી તદપિ પથિક પથ, નેણું રહે નિહાળી. કેઈ ક્ષેત્રપાલિકા સર્વગ સુન્દરી છે, તથાપિ પથિક એના ઇતર અંગોને છોડીને નેત્રેનેજ નિહાળી રહ્યા છે. આ અભિપ્રાયને અનુ. કૂલ પ્રવૃત્તિ છે. અહીં અભિપ્રાય એ છે કે આ માનુષી છે. અથવા સુરસુન્દરી છે? આની પરીક્ષા કરવાની પથિકની વાંચ્છના છે. સુરસુન્દરીઓની બે પ્રકારથી પરીક્ષા થાય છે. ભૂમિસ્પર્શ ન કરો અને નિમેષ રહિત થવું. તે આ ધાન્યના ખેતરમાં ઉભી છે. એથી એના પગેને ભૂમિસ્પર્શ કે અસ્પર્શ દેખાતું નથી, તેથી તેની પરીક્ષા કરે છે. આ પદ્યમાં પરીક્ષાને સૂચક કેઈ શબ્દ ન હોવાથી આ નિરૂભેદ છે. અને કયાંઈ ભાવને સૂચક શબ્દ પઘમાં હોય ત્યાં સેદભેદ છે, આમાં તે એક નાયકની તરફથીજ ભાવના અનુકુલ વર્તન છે. એથી આ પર્વત: અર્થાત્ એક તરફથી છે, અને જે નાયિકાની તરફથી પણ નાયકની તરફ પિતાના ભાવના અનુકુળ આચ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy